Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 44 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩પ :
ઋદ્ધિના ધારક તથા અવધિ–મનઃપર્યય જ્ઞાનના ધારક તે પણ મહા વક્તા છે. આવા વિશેષ
ગુણધારી મહાન વક્તા મળી આવે તો તો ઘણું ઉત્તમ છે; પણ એવા વકતા ન હોય તો
સમ્યગ્દર્શનાદિ ગુણોના ધારક જ્ઞાનીધર્માત્મા–શ્રાવકના મુખેથી શાસ્ત્રશ્રવણ કરવું યોગ્ય છે.
પરંતુ માત્ર પદ્ધત્તિ અનુસાર કે શાસ્ત્ર સાંભળવાના લોભથી સમ્યગ્દર્શનાદિ રહિત પાપી
પુરુષોના મુખથી શાસ્ત્ર સાંભળવું ઉચિત નથી. હજી પોતાને આત્માનું ભાન ન હોય ને
ઉપદેશક થઈને બેસી જાય–તેની પ્રરૂપણામાં ક્યાંકને ક્યાંય ભૂલ હોય જ; કાંતો તેને વાંચનનો
જે ભગવાનના માર્ગમાં સાવધાન હોય, એટલે કે જિનની આજ્ઞામાં સાવધાન હોય, તે જીવોએ
નિર્ગ્રંથ ગુરુઓની નીકટમાં, અથવા તો તે ગુરુએ કહેલા ઉપદેશનું પ્રતિપાદન કરનારા શ્રદ્ધાળુ–ધર્માત્મા
શ્રાવકના મુખથી જ, ધર્મશ્રવણ કરવા યોગ્ય છે. જુાઓ, કુગુરુ–અજ્ઞાનીઓનો ઉપદેશ સાંભળવામાં જે
તત્પર છે તે જિનાજ્ઞામાં સાવધાન નથી, તેને પોતાના હિતની દરકાર નથી. ભાઈ, તને તારા હિતની
દરકાર હોય તો આત્મજ્ઞાની ધર્માત્માના ઉપદેશનું જ શ્રવણ કરવું યોગ્ય છે; કેમકે ધર્મબુદ્ધિવાળા જ્ઞાની
ઉપદેશદાતા હોય તે જ પોતાનું ને પરનું ભલું કરે છે. પણ જે કષાયબુદ્ધિ વડે ઉપદેશ આપે છે તે તો
પોતાનું તેમજ પરનું બુરું કરે છે. આ રીતે વકતાનું સ્વરૂપ કહ્યું. તે ઓળખીને સાચા અને ખોટા
વક્તાનો વિવેક કર્તવ્ય છે. યથાર્થ જ્ઞાની–ધર્માત્માને ઓળખીને પોતાના હિતને માટે પરમભક્તિ અને
વિનય–બહુમાનથી તેમનો ઉપદેશ સાંભળવો યોગ્ય છે.
શ્રોતાની લગની
શ્રોતાને એવી લગની લાગી છે કે ગુરુવાસમાં જ
વસે છે. ગુરુના હૃદયનું હાર્દ નિરંતર હૃદયમાં વસે છે,
એટલે જાણે નિરંતર ગુરુ તેને સમજાવી જ રહ્યા છે. જ્યાં
જ્ઞાની–સંતો–ધર્માત્મા બિરાજે છે ત્યાં તેનો અવતાર થયો
છે. બીજે જન્મ્યો હોય તો ત્યાંથી ધર્માત્મા–સંતોની પાસે
આવીને સાંભળે છે. ચૈતન્યનો અત્યંત રસિયો થયો છે;
‘અહો! આ વાત જ જુદી! આ ધર્માત્માના ભાવ જ
જુદા!’ આવો શિષ્ય સર્વ પ્રકારના ઉદ્યમથી કોઈપણ
પ્રકારે શુદ્ધાત્માનું સ્વરૂપ જરૂર સમજી જાય છે. એને
શુદ્ધાત્માનો જે અનુભવ થયો તે અનુભવનું સુખ બીજા–
અનુભવ વગરના–જાણી શકે નહીં
(સમય. ગા. ૩૮ના પ્રવચનમાંથી)