Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૭ :
જુઓ, આ વસ્તુસ્વભાવની મહાન ગાથા છે. કુંદકુંદાચાર્યદેવ આ ભરતક્ષેત્રમાં બે હજાર વર્ષ
પહેલાં સાક્ષાત્ બિરાજતા હતા. એકવાર તેમને સાક્ષાત્ તીર્થંકરના વિરહનું વેદન થયું કે અરે, આ કાળે
સાક્ષાત્ તીર્થંકર પરમાત્માનો અહીં વિરહ! વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકરો બિરાજે છે. તેનું ચિંતન કરીને
નમસ્કાર કર્યા... ને તેમને મહાન લબ્ધિ આકાશગામિની હતી. તેનો અહીંથી દેહસહિત ગગનવિહારીપણે
વિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્માના સમવસરણમાં પધાર્યા હતા... ત્યાં ચક્રવર્તી વગેરે તેમના નાનકડા
દેહને જોઈને આશ્ચર્ય પામ્યા... ને ભગવાનના શ્રીમુખે નીકળ્‌યું કે આ ભરતક્ષેત્રના ધર્મવૃદ્ધિકાર મહાન
આચાર્ય છે. ત્યાં ભગવાનની વાણી આઠ દિવસ સુધી સાંભળીને મહાન હર્ષ થયો. ને પછી અહીં
ભરતક્ષેત્રે પધારીને આસમયસારાદિ મહાન શાસ્ત્રો રચ્યાં. મદ્રાસથી ૮૦ માઈલ દૂર પોન્નૂર
(સુવર્ણહીલ) ઉપર તેઓની તપોભૂમિ છે. ત્યાં ચંપાવૃક્ષ નીચે તેમના ચરણપાદૂકા છે. એમ કહેવાય છે
કે અહીંથી (પોન્નૂરથી) તેઓ વિદેહ ગયા હતા ને અહીં તેમણે શાસ્ત્રોની રચના કરી હતી. એ સ્થાન
ઘણું શાંત સુંદર છે, ત્યાં આચાર્યદેવે જ્ઞાનધ્યાન કર્યું છે. એવા મહાસમર્થ આચાર્ય કુંદકુંદસ્વામી આ
સમયસારમાં વસ્તુસ્થિતિ પ્રસિદ્ધ કરતાં કહે છે. –
આ જગતમાં ચેતન કે અચેતન જે કોઈ વસ્તુ છે તે દરેક વસ્તુ પોતાના ચેતન કે અચેતન
ભાવમાં જ અનાદિથી વર્તે છે, કોઈ દ્રવ્ય પલટીને અન્ય દ્રવ્યરૂપ થઈ જતું નથી; ચૈતન્યદ્રવ્ય
અનાદિથી પોતાના ચેતનગુણમાં ને ચેતનપર્યાયોમાં જ વર્તે છે. પોતાના ગુણ–પર્યાયને છોડીને
બહારમાં કાંઈ કરવા તે જતું નથી, ને તેના ગુણ–પાર્યયમાં કોઈ બીજો પદાર્થ વર્તતો નથી.
આત્માના ગુણ–પર્યાયોને બીજો કોઈ કરતો નથી, ને બીજા કોઈના ગુણ–પર્યાયોને આત્મા કરતો
નથી, જુઓ, આ વસ્તુસ્થિતિ!
જગતમાં ગમે તે સ્થાને આત્મા હો, પણ તે પોતાના ગુણ–પર્યાયોમાં જ વર્તી રહ્યો છે, ગુણ–
પર્યાય્થી બહાર પરમાં તે કાંઈ કરતો નથી. એ જ રીતે જગતનો પ્રત્યેક રજકણ વગેરે અચેતન પદાર્થ
પણ પોતાના ગુણપર્યાયમાં જ વર્તે છે, તે બીજામાં વર્તતા નથી. પોતપોતાના ગુણપર્યાયોમાં સ્વત:
પરિણમતા પદાર્થોને પરની અપેક્ષા નથી.
જુઓ તો ખરા! કેવી સ્વતંત્ર વસ્તુસ્થિતિ! ભાઈ, તું તારા સ્વભાવમાં ને પર પરનાં
સ્વભાવમાં; હવે આવી વસ્તુસ્થિતિની મર્યાદાને કોઈથી તોડી શકાતી નથી. અજ્ઞાની માને ભલે કે
હું પરની અવસ્થા કરી દઉં;–પણ તે પોતાના પરિણામમાં મિથ્યાકર્તૃત્વબુદ્ધિ સિવાય પરમાં તો કાંઈ
કરી શકતો નથી. અરે, પોતાનું કાર્યક્ષેત્ર કેટલું છે? ક્યાં અધર્મ થયો છે ને ક્યાં ધર્મ થાય? તેની
ખબર નહોય, તે ક્યાં રહીને ધર્મ કરશે? ધર્મ ક્યાં થાય છે? શું બહારમાં ધર્મ થાય છે? શું
શરીરમાં પૈસામાં ધર્મ થાય છે? –ના; એ તો બધા આત્માથી બહાર અચેતન પદાર્થો છે. આત્માનો
ધર્મ આત્મામાં થાય, બહાર ન થાય. આ સર્વજ્ઞપરમાત્માની વાણીના લેખ સંતોએ લખ્યા છે તે ફરે
તેમ નથી.
આવી વસ્તુસ્થિતિ સમજે તો પોતાના જ્ઞાનાનંદ–સ્વભાવની સન્મુખતા થાય, પરની
કર્તૃત્વબુદ્ધિથી છૂટીને પરિણતિ અંતરમાં વળે... ને મોહને હણીને આત્માપોતે અરિહંત થાય. આવ
આત્માનો સમ્યક્ જ્ઞાનીને થયો છે: અમે તો ચૈતન્યમૂર્તિ આત્મા છીએ ને અમારા ચૈતન્યભાવમાં જ
અમે વર્તી રહયા છીએ. બહારના કામમાં અમે વર્તતા નથી.