Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 61

background image
: ૩૮ : આત્મધર્મ: ૨૩૯
જો એક વસ્તુ બીજી વસ્તુમાં વર્તે તો તેનું વસ્તુપણું જ નાશ પામે. અનાદિઅનંત સળંગપણે
પોતાના નિજભાવમાં જ દરેક વસ્તુ વર્તે છે. એક પરમાણુ હો કે સિદ્ધપરમાત્મા હો, અજ્ઞાની હો કે
કેવળજ્ઞાની હો–સૌ પોતપોતાના નિજભાવમાં પોતાના સ્વભાવથી અનાદિઅનંત વર્તી રહ્યા છે.
અરે જીવ! જગતથી ભિન્ન તારા સ્વભાવને એકવાર લક્ષમાં તો લે. તો તારી પરિણતિ અંતરમાં
વળતાં તને તારા પરમ અતીન્દ્રિય આનંદનું વેદન થશે. અજ્ઞાનદશા વખતે આત્મા પોતાના
વિકારી–રાગદ્વેષાદિ પરિણામમાં વર્તે છે ને તે પરિણામ જ તેનું કાર્ય છે. પણ રાગવડે આત્મા પરનું
કાર્ય કરે, કે દ્વેષવડે આત્મા પરનું કાર્ય બગાડે એમ નથી. અને જ્ઞાની જ્ઞાનભાવથી પોતાના નિર્મળ
પરિણામમાં જ વર્તે છે. નિર્મળ પરિણામમાં વર્તતો તે પરની કર્તૃત્વબુદ્ધિથી રહિત છે. જુઓ, આ
સમ્યગ્દર્શનની રીત!
સમ્યગ્દર્શન! ! ઓહો, અંતરના વસ્તુસ્વભાવને જ્યાં સમ્યગ્દર્શન વડે પ્રતીતમાં લીધો ત્યાં
અપૂર્વ ધર્મ શરૂ થયો. આજે આઠ કુમારી બહેનો બ્રહ્મચર્ય લ્યે છે તે પ્રસંગે આ ઉત્તમ ગાથા આવી છે.
ધર્મની અપૂર્વ વાત છે.
અજ્ઞાની નિજસ્વભાવને ભૂલીને વિકારનો કર્તા થાય છે, ને મૂઢતાથી પરનો કર્તા પોતાને
માને છે, તથા બહારના ફળની અભિલાષા કરીને કર્મોથી બંધાય છે. જ્ઞાની ધર્માત્માને બહારની
ક્રિયાઓમાંથી કર્તૃત્વબુદ્ધિ સર્વથા છૂટી ગઈ છે; અલ્પ રાગાદિ હોય તેમાંય કર્તૃત્વબુદ્ધિ નથી ને
તેના ફળને ઈચ્છતા નથી. જ્ઞાનરૂપ નિજભાવમાં જ કર્તૃત્વપણે વર્તે છે, એવા જ્ઞાનીને કર્મનો
નવો લેપ લાગતો નથી, ને ક્ષણેક્ષણે નિર્જરા વધતી જાય છે. આ રીતે જ્ઞાનીની ક્રિયા કર્મબંધરૂપ
ફળથી રહિત છે. આમ પોતાના સ્વભાવને સમજીને સ્વદ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શનરૂપ
અપૂર્વ ધર્મ થાય છે.
સ્વપર્યાયમાં વર્તતી વસ્તુમાં બીજા કોઈની ડખલગીરી નથી; આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ
પરિણામરૂપ સ્વપર્યાયમાં વર્તે ત્યાં તેમાં કર્મ વગેરે કોઈ બીજાની ડખલ કે મદદ નથી; તેમજ
આત્મા કોઈ બીજાની પર્યાયમાં ડખલ કે મદદ કરવા જતો નથી. એ જ રીતે અજ્ઞાની પણ પોતાના
રાગાદિરૂપ સ્વપરિણામમાં વર્તે છે, તે રાગાદિભાવ બીજો કોઈ કરાવતો નથી, કે આત્મા તે રાગવડે
બીજાના કામ કરતો નથી. બધી વસ્તુઓ સ્વતંત્રપણે પોતપોતાના સ્વપરિણામમાં જ વર્તી રહી છે.
અહો, આવા સ્વતંત્ર વસ્તુસ્વભાવની ઘોષણા સર્વજ્ઞદેવે કરી છે, એ જ વાત દાંડી પીટીને સંતોએ
જાહેર કરી છે.
* અત્યાર સુધી કોઈ જીવે પરનું કાંઈ કર્યું નથી.
* અત્યારસુધી બીજાએ આ જીવનું કાંઈ સુધાર્યું કે બગાડ્યું નથી.
* અજ્ઞાનદશામાં જીવ પોતાના રાગાદિભાવને કરે છે ને પોતે સ્વતંત્રપણે પોતાનું અહિત કરે છે.
* જ્ઞાનદશામાં જીવ પોતાના જ્ઞાનભાવને જ કરે છે ને પોતે સ્વતંત્રપણે પોતાનું હિત કરે છે.
આવો સ્વતંત્ર વસ્તુસ્વભાવ સંતોએ પ્રસિદ્ધ કર્યો છે. ને સમજે તો પરની કર્તત્વબુદ્ધિ