Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 48 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૩૯ :
સં. ૨૦૦પમાં જ્યારે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી તે
પ્રસંગે આત્મધર્મના “બ્રહ્મચર્યઅંક” માટે, બ્રહ્મચર્ય–મહિમા સંબંધી એક
વિસ્તૃત લેખ તૈયાર કરવામાં આવેલ, પણ તે વખતે તે છાપી શકાયો ન
હતો; આજે આ ત્રીજા બ્રહ્મચર્યઅંકમાં તે લેખમાંથી કેટલોક ભાગ
આપવામાં આવ્યો છે. અધ્યાત્મદ્રષ્ટિ સહિતના શુદ્ધ બ્રહ્મચર્યનું સ્વરૂપ,
તેનો મહિમા, તેનું ફળ અને તેની પ્રેરણા દર્શાવતો આ જ્ઞાનવૈરાગ્યપોષક
લેખ સૌને પસંદ પડશે. –બ્ર. હ. જૈન

‘અનગારધર્મામૃત’ માં મુમુક્ષુજીવોને બ્રહ્મચર્યનું પાલન કરવામાં વિશેષ રુચિ ઉત્પન્ન થાય તે
માટે તેના માહાત્મ્યનું વર્ણન કરીને, હંમેશા તેનું પાલન કરવાનો ઉદ્યમ કરવાની પ્રેરણા આપતાં પં.
આશાધરજી કહે છે કે–
–શાર્દૂલવિક્રીડિત–
प्रादुषन्ति यतः फलन्निजगुणाः सर्वेप्यखर्वौजसो
यत्प्रव्हीकुरुते चकास्ति च यतस्तदब्राह्मसुच्चैर्महः।
त्यक्त्वा स्त्रीविषयस्पृहादि दशधाऽब्रह्मामलं पालय
स्त्रीवैराग्यनिमित्त पंचकपरस्तदब्रह्मचर्य सदा।। ५९।।
જેના હોવાથી આત્માના અહિંસાદિક ભાવો વૃદ્ધિગત થાય છે એવી, શુદ્ધ નિજાત્માની
અનુભૂતિરૂપ પરિણતિને ‘બ્રહ્મ’ કહે છે અને એનાથી વિરુદ્ધ મૈથુનભાવને ‘અબ્રહ્મ’ કહે છે જેમ ‘બ્રહ્મ’
ના હોવાથી અહિંસાદિક ભાવો વધે છે, તેમ અબ્રહ્મના હોવાથી હિંસાદિક ભાવો વધે છે; કેમ કે
મૈથુનસેવનમાં ઉદ્યત થયેલો મનુષ્ય ત્રસ–સ્થાવર જીવોની હિંસા વગેરે અનેક પાપો કરે છે. એ રીતે
સ્વભાવથી જ દુષિત એવા આ અબ્રહ્મના દસ ભેદ છે: હે મોક્ષાર્થી ભવ્ય જીવ! આ દસે પ્રકારના
અબ્રહ્મને તું દેવ, ગુરુ અને સાધર્મીઓની સાક્ષીથી છોડ, અને સર્વ પ્રકારની સ્ત્રીઓમાં વૈરાગ્ય લાવવા
માટે–તેમાં રમણ કરવાની ઈચ્છાનો નાશ કરવા માટે, વિષયના દોષોનો ફરી ફરી વિચાર–વગેરે
પ્રકારની ભાવનાઓમાં પ્રધાનપણે તત્પર રહીને તે ગ્રહણ કરેલા આ નિર્મળ નિરતિચાર બ્રહ્મચર્યનું
યાવત્જીવન સદા પાલન કરે અને તેને સારીતે પ્રકાશિત કર. કેમ કે ઉપર કહ્યું એવા આ બ્રહ્મચર્યના
નિમિત્તથી જ વ્રત–શીલ વગેરે પ્રકારનો સંયમ પ્રગટે છે અને આત્માના પ્રયોજનની સિદ્ધિ કરવામાં
સમર્થ થાય છે. ‘આત્મિક બ્રહ્મ’ ને ધારણ કરનાર પાસે ઈન્દ્રાદિક પણ નમી જાય છે; અને તેનાથી
શબ્દબ્રહ્મ અથવા કેવલજ્ઞાનરૂપી બ્રહ્મનું શ્રુતકેવળીત્વ અથવા કેવળીત્વ સુધીની ઉત્કૃષ્ટતાને પામેલું અને
સ્વપર–પ્રકાશક એવું તેજ પ્રકાશિત થાય છે, તે પ્રસિદ્ધ છે.
[અહીં પહેલાં બ્રહ્મચર્ય અને અબ્રહ્મચર્ય વ્યાખ્યા કરતાં કહ્યું કે: પોતાના આત્માની અનુભૂતિરૂપ
શુદ્ધપરિણતિ તે બ્રહ્મચર્ય છે. જ્યાં એવું આત્મિક બ્રહ્મચર્ય પ્રગટ્યું હોય ત્યાં બાહ્ય