Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 49 of 61

background image
: ૪૦ : આત્મધર્મ: ૨૩૯
બ્રહ્મચર્ય કેવું હોય તે પણ બતાવ્યું છે. અને પછી તેનું ઉત્કૃષ્ટ ફળ બતાવીને પ્રેરણા કરી છે કે હે ભવ્ય
મુમુક્ષુ! તું દેવ–ગુરુ ને સાધર્મીની સાક્ષીએ આવા પવિત્ર બ્રહ્મચર્યને ધારણ કરીને જીવનપર્યંત તેનું
પાલન કર. બ્રહ્મચર્યની દ્રઢતા માટે વારંવાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતનવન કરવાનું જણાવ્યું છે.)
(૨) બ્રહ્મચર્યના સ્વરૂપનું વર્ણન કરીને, તેના પાલન કરનારને જે પરમાનંદની પ્રાપ્તિ
(ઉપજાતિ)
या ब्रह्मणि स्वात्मनि शुद्धवुद्धे चर्या परद्रव्यमुचः प्रवृत्तिः।
तद्ब्रह्मचर्यं व्रतसार्वभौमं, ये पान्ति ते यान्ति परं प्रमोदम्।। ६०।।
જે પરદ્રવ્ય વિમુખવૃત્તિ થઈ નિજ શુદ્ધબુદ્ધ–આત્મતત્ત્વે
ચરણ છે તે વ્રત સાર્વભૌમ, તે બ્રહ્મચર્ય આપે પ્રમોદ.
દ્રષ્ટ–શ્રુત અને અનુભૂત એ ત્રણે પ્રકારના ભોગોની આકાંક્ષારૂપ નિદાન તથા બીજા પણ
રાગાદિ વૈભાવિક દોષો તે બધાથી રહિત હોવાના કારણ આ આત્મા ‘શુદ્ધ’ છે અને સમસ્ત પદાર્થોનો
યુગપત્ સાક્ષાત્કાર–પ્રત્યક્ષ અવલોકન–કરવામાં સમર્થ છે તેથી તે ‘બુદ્ધ’ છે; એવા શુદ્ધ અને બુદ્ધ
નિજાત્મામાં–પોતાના જ્ઞાનસ્વરૂપ બ્રહ્મમાં, પરદ્રવ્યોનો ત્યાગ કરનાર, પોતાના અને પરના શરીર
ઉપરના મમત્વથી પણ રહિત વ્યક્તિની, જે પ્રવૃત્તિ એટલે કે અપ્રતિહમ પરિણતિરૂપ ચર્યા હોય છે તેને
‘બ્રહ્મચર્ય’ કહે છે; કેમ કે વ્યાકરણથી પણ એવો અર્થ થાય છે કે ‘ब्रह्ममें चर्या सो ब्रह्मचर्य–બ્રહ્મસ્વરૂપ
આત્મામાં ચરવું તે બ્રહ્મચર્ય છે. આવું બ્રહ્મચર્યવ્રત સર્વ વ્રતોમાં સાર્વભૌમ (ચક્રવર્તી) સમાન છે.
સમસ્ત ભૂમિના અધિપતિ ચક્રવર્તીને સાર્વભૌમ કહેવાય છે. જેમ પૃથ્વીના બધા રાજાઓ ચક્રવર્તીને જ
આધીન રહે છે તેમ બાકીના બધા વ્રતોની વૃત્તિ–પ્રવૃત્તિ બ્રહ્મચર્યને જ આધીન થઈ શકે છે. –બ્રહ્મસ્વરૂપ
આત્મામાં એકાગ્રતારૂપ બ્રહ્મચર્ય વિના કોઈ વ્રત પળી શકતા નથી. તેથી જે મુમુક્ષુ આ બ્રહ્મચર્યનું
પાલન–રક્ષણ કરે છે અને તેને અતિચારોથી દૂષિત થવા દેતો નથી તે જ પુરુષ પરમ પ્રમોદને–સર્વોત્કૃષ્ટ
આનંદને અર્થાત્ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
સર્વે વિકારી ભાવો અને તેના કારણોથી રહિત થઈને શુદ્ધબુદ્ધ આત્મસ્વરૂપમાં રમણ કરવું તેને
બ્રહ્મચર્ય કહયું છે. આ સંબંધમાં કહયું છે કે–
निरस्तान्याङ्गरागस्य स्वदेहेपि विरागिणः।
जीवे ब्रह्मणि या चर्या ब्रह्मचर्य तदीर्यते।।
જે પોતાના તેમજ બીજાના શરીરમાં રાગરહિત છે એવા પુરુષને જે આત્મસ્વરૂપ બ્રહ્મમાં ચર્યા
હોય છે તેને બ્રહ્મચર્ય કહે છે. સર્વે વ્રતોમાં તે પ્રધાન છે; તેથી તેને નિરતિચાર પાળવાથી જ અવિનશ્વર
અનંત આત્મિક સૂખ પ્રાપ્ત થાય છે.
વિવેકશૂન્ય મનુષ્ય જ કામદેવને વશ થાય છે અને તેનાથી દુર્નિવાર દુઃખોનો અનુભવ કરે છે. તે
દુઃખોનો અનુભવ ન કરવો પડે તે માટે મુમુક્ષુઓએ વિવેકપૂર્વક (–તત્ત્વજ્ઞાનપૂર્વક– તેનો (કામ–
વિષયનો) પરિત્યાગજ કરી દેવો જોઈએ, તેનાથી બિલકુલ દૂર જ રહેવું જોઈએ. વિષયો મોટા સર્પના
વિષ જેવા ભયંકર છે. અરે! સર્પ કરતાં પણ કામદેવની ભયંકરતા ઘણી વધારે છે.
‘જ્યારથી સંસાર છે ત્યારથી અર્થાત્ અનાદિ કાળથી મૈથુનસંજ્ઞા ચાલી આવે છે. ખરેખર