Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૧ :
પોતાના ચૈતન્યસ્વરૂપની અરુચિ અને પર સંયોગરૂપ વિષયોની રુચિ તે જ મૈથુન છે. એ મૈથુનના
કારણે જ પ્રગટ થયેલા સર્વ પ્રકારના દુઃખોનો મારે અનુભવ કરવો પડ્યો! તે માટે તેને ધિક્કાર છે!’ –
આ પ્રમાણે મૈથુનસંજ્ઞા અને તેનાથી થનારા દુઃખ–અનુભવ પ્રત્યે જે જીવ અતિશય વિરક્તબુદ્ધિ
રાખનાર છે તે જ તેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે.
સંકલ્પ–વિકલ્પોથી રહિત આત્મસંવેદનથી અર્થાત્ શુદ્ધ નિજ જ્ઞાનસ્વરૂપના અનુભવથી પરમ
સુખરસની ઉત્પત્તિ થાય છે. પરંતુ સ્ત્રી આદિ પર વિષયોમાં સુખબુદ્ધિથી તેમાં રમણ કરવાની
અભિલાષા તે આત્માના સુખરસનો નાશ કરવા માટે અગ્નિ સમાન છે, –વિષયોમાં રમણ કરવાની
ભાવના જાગૃત થતાં જ આત્મઅનુભવનું સુખ ચાલ્યું જાય છે; અહો, ધિક્કાર છે કે આજ સુધી હું સ્ત્રી
આદિ વિષયોમાં રમણ કરવાની અભિલાષારૂપ ભાવનાને જ આધીન રહીને સંસારમાં રખઽયો.
આત્મસ્વભાવની ભાવના ભૂલીને અને વિષયોની ભાવનાને વશીભૂત થઈને, એવું ક્યું દુઃખ છે કે જે હું
ન પામ્યો હોઉં! વિષયોની ભાવનાના કારણે જ મેં નરક–નિગોદ સુધીનાં દુઃખો ભોગવ્યાં છે. માટે હવે
તો હું, સ્વાભાવિક જ્ઞાનાનંદરૂપ પોતાના સ્વસંવેદનપ્રત્યક્ષદ્વારા અનુભવાતા મારા ચૈતન્યસ્વરૂપની
ભાવનામાં જ નિમગ્ન થાઉં છું, –કે જે ચૈતન્યસ્વરૂપ, મૈથુનસંજ્ઞાના સંસ્કારોને પ્રગટ થતાં વેંત જ નાશ
કરી નાંખે છે.
એ પ્રમાણે ભાવના કરીને પોતાના આત્મસ્વરૂપ તરફ એકાગ્રતા વધારવી તે જ બ્રહ્મચર્યની
વૃદ્ધિનો અને અબ્રહ્મના નાશનો ઉપાય છે.
અહો! ખબર નથી પડતી કે આ સંસારી પ્રાણી તે વ્યવહારકુશળ છે કે વિદગ્ધ–ગાંડો છે?
ખરેખર વિષયવાસનાએ તેની વિવેકબુદ્ધિને ભ્રષ્ટ કરી દીધી છે; તેથી જ, જ્યારે તે સુખના કારણોની
ગણતરી કરવા બેસે છે ત્યારે તેમાં સૌથી પહેલાં સ્ત્રીની ગણતરી કરે છે! તે મૂઢ પુરુષ પોતાનો આત્મા
જ સુખભંડાર છે તેને તો ગણતો નથી ને પરમાં સુખ માટે વ્યર્થ ફાંફા મારે છે. અનેખરેખર જે
(વિષયવાસના) પોતાને અહિતકાર છે તેને પણ તે હિતકાર અને સુખનું સાધન સમજીને ફરી ફરી
તેમાં રાગ કરે છે.
જ્ઞાની સ્વવિષયમાં લીન થઈને સુખ અનુભવે છે,
મુમુક્ષુ જીવને સ્વવિષયની રુચિ છે તેથી તે પોતાના આત્મામાં તન્મય થાય છે અને કામાંધ
જીવને સ્ત્રી આદિ પરવિષયોની રુચિ છે તેથી તે તેમાં તન્મય થઈ જાય છે, એ બાબત સરખામણી
કરતાં ગ્રંથકાર લખે છે કે–
(૧) જેમ કોઈ મુમુક્ષુ પુરુષ ગુરુ પાસેથી અધ્યાત્મતત્ત્વનો ઉપદેશ સાંભળીને પોતાના સ્વરૂપમાં
શ્રદ્ધા કરવા લાગે છે, તેમ કામાંધપુરુષ પોતાના અભીષ્ટ વિષયમાં (–સ્ત્રી આદિમાં) વિશ્વાસ કરવા
લાગે છે;
(૨) શ્રદ્ધા પ્રગટ થયા પછી જેમ તે મુમુક્ષુ પુરુષ ગુરુના નિમિત્તથી આત્મસ્વરૂપનો જ પ્રેમ અને
પરિચય કર્યા કરે છે તેમ વિષયાંધ જીવ પોતાના ઈષ્ટ વિષયનો પ્રેમ–પરિચય કરે છે;
(૩) ત્યારબાદ જેમ તે ભવ્ય મુમુક્ષુ જીવ સાધુ થઈને પોતાના આત્મસ્વરૂપમાં સારી રીતે