Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૩ :
પોતાનું આત્મહિત ચાહનારા બ્રહ્મચારી મુમુક્ષુઓએ
હે મુમુક્ષુ! આ બ્રહ્મચર્યના સંબંધમાં કલ્યાણ અને અછિન્નતા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જો તું
આત્મહિત અને બ્રહ્મચર્યને પૂર્ણ કરવા ચાહે છે તો તારે તે સદ્ગુરુઓ–વૃદ્ધ આચાર્યોની સેવા (અર્થાત્
આરાધના) કરવી જોઈએ, કે જેઓ સદા ધર્મનીતિનો આદર કરનારા છે, જેઓ કુલીનતાને લીધે દ્રઢ
સંયમી છે, સત્ય ઉપદેષ્ટા સદગુરુઓના વચનો પર આરૂઢતા કરવાથી અર્થાત્ તેઓના ઉપદેશ–અનુસાર
ચાલવાથી જેમના મનમાંથી કામદેવના સંસ્કાર અસ્ત થઈ ગયા છે, ભવભ્રમણના દુઃખોથી જેઓ
અત્યંત ભયભીત છે એટલે સંસાર પ્રત્યેનો વૈરાગ્ય–સંવેગ જેમને ક્ષણે ક્ષણે વધી રહ્યો છે, જેઓ બીજા
જીવોને હિતનો માર્ગ દર્શાવનારા છે, જેમનો મોક્ષરૂપી મહાન ઉદય નિકટકાલવર્તી થઈ ગયો છે અર્થાત્
જેઓ અત્યંત નિકટ ભવ્ય છે–જે આ જ ભવમાં કે અલ્પભવમાં જ મોક્ષ પ્રાપ્ત કરવાના છે અને જેમને
શુદ્ધ ચિદાનંદ–અનુભવના ફળની વૃદ્ધિ સદા બની રહે છે. આવા ગુણોથી યુક્ત વૃદ્ધાચાર્ય વગેરેની
નિરંતર આરાધના પોતાના બ્રહ્મચર્યની સિદ્ધિને માટે મુમુક્ષુઓએ અવશ્ય કરવી જોઈએ. કહ્યું છે કે–
यः करोति गुरुभाषितं मुदा संयमे वसति वृद्धसंकुले।
मुंचते तरुण लोकसंगतिं ब्रह्मचर्यममलं स रक्षति।।
જે વ્યક્તિ પ્રસન્નતાપૂર્વક ગુરુઉપદેશ અનુસાર સદા વર્તે છે અને તરુણ લોકોની સંગતિ છોડીને
વૃદ્ધપુરુષોની વચમાં સદા તેમની નજીક રહે છે તે વ્યક્તિ પોતાના બ્રહ્મચર્યને નિર્મળ રાખે છે.
અહીં એક આ વાત વિશેષ ધ્યાનમાં રાખવી કે–આ બ્રહ્મચર્યપ્રકરણમાં જેને ‘વૃદ્ધ’ કહ્યા છે તે
માત્ર વયની પ્રધાનતાથી નથી કહ્યા, પણ જેનામાં શ્રદ્ધા–જ્ઞાન–સંયમ વગેરે ગુણો વિશેષરૂપે વૃદ્ધિગત છે
તેમને પણ વૃદ્ધ કહ્યા છે.
જેમ નિર્મલીઔષધિનો સંબંધ થતાં જ પાણીનો કાદવ શાંત થઈ જાય છે તેમ, જેઓ જ્ઞાન–સંયમ
વગેરે ગુણોમાં વૃદ્ધિગત છે એવા વૃદ્ધપુરુષોની સંગતિથી મલિનભાવો એકદમ પ્રશાંત થઈ જાય છે. અને
જેમ પાણીમાં પત્થર નાંખતાં તેનો મેલ ઉપડી આવે છે તેમ વિષયી પુરુષોના સંસર્ગની ભાવનાથી
મલિન ભાવો પ્રગટ થાય છે. માટે પોતાના બ્રહ્મચર્યવ્રતની નિર્મળતા વધારવાની ઈચ્છાવાળા મુમુક્ષુ
જીવોએ સદા જ્ઞાનાદિમાં વૃદ્ધ પુરુષોની જ સંગતિ કરવી જોઈએ, કામીપુરુષોની સંગતિ કરવી ન જોઈએ.
જેમ ચંદ્રમાનો પૂર્ણ ઉદય થતાં સમુદ્ર પણ અત્યંત ક્ષોભ પામીને ઊછળે છે તેમ નવીન યુવાન
અવસ્થામાં ઘણા જીવો ક્ષોભિત થઈ જાય છે. માટે બ્રહ્મચારી મુમુક્ષુઓએ તે અવસ્થામાં અત્યંત
સાવધાન રહેવું યોગ્ય છે, યુવાન અવસ્થાનો વિશ્વાસ કરવા જેવો નથી, જ્ઞાનાદિમાં જે વૃદ્ધ હોય તેવા
સંતોની સંગતિ નિરંતર રાખવી જોઈએ.
– વસંતતિલકા–
दुर्गेपि यौवनवने विहरन् विवेकचिंतामणिं स्फुटमहत्वमवाप्य धन्यः।
चिंतानुरूपगुणसंपदुरुप्रभावो वृद्धो भवत्यपिलितोपि जगद्धिनीत्या।। ९९।।
જો કે આ યૌવનરૂપી વન દુર્ગમ છે, સાધારણ લોકો અનેક પ્રકારના વિકાર કર્યા વગર તેનો પાર