Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 61

background image
: ૪૪ : આત્મધર્મ: ૨૩૯
નથી પામતા, છતાં પણ જે મનુષ્ય તે યૌવન વનમાં વિકાર કરતો થકો પણ, જેનું મહત્વ પ્રગટ છે એવા
ભેદવિજ્ઞાનરૂપી ચિંતામણિને પ્રાપ્ત કરીને પોતાની ભાવનાઅનુસાર ગુણસંપત્તિના મહાન પ્રભાવથી
સંયુક્ત થઈ જાય છે–ને જરા પણ વિકૃત્તિ પામતા નથી તે ધન્ય છે! અને એવા પુરુષોનું શરીર
ઘડપણદશાથી રહિત હોવા છતાં પણ ગુણસંપત્તિમાં તેઓ વૃદ્ધિમાન હોવાથી તેમને વૃદ્ધ જ સમજવા
જોઈએ કેમકે તેઓ પણ જગતના જીવોને વૃદ્ધો્રની માફક શિક્ષાદિક દઈ શકે છે. પરંતુ આવા ધન્યપુરુષ
વિરલા જ હોય છે.
અહીં ભેદવિજ્ઞાનની જ પ્રધાનતા બતાવી છે. યુવાન અવસ્થામાં જે પુરુષ ભેદવિજ્ઞાન પ્રાપ્ત
કરીને દર્શન–જ્ઞાનાદિ ગુણોથી શોભાયમાન થઈ જાય છે તે પુરુષ ધન્ય છે. ભેદવિજ્ઞાનનો મહિમા અને
જગત્પૂજ્યતા પ્રગટ છે, તે ચિંતામણિસમાન છે અને તેનાથી જ મોક્ષની સિદ્ધિ થાય છે. જે ભવ્ય જીવ
યુવાનીમાં જ એવા ભેદજ્ઞાનરૂપી વિવેક દ્વારા પ્રાપ્ત થયેલા ગુણોના પ્રભાવથી અલંકૃત થઈ જાય છે તેને
ખરેખર યુવાન ન સમજતાં વૃદ્ધ જ સમજવા જોઈએ. એવા વિરલ પુરુષો ધન્ય છે.
ભેદજ્ઞાનરૂપી વિવેક અને સત્પુરુષોની સંગતિથી જ યુવાનદશા નિર્વિકાર રહી શકે છે.
બ્રહ્મચર્યવ્રતની પાંચ ભાવનાઓ છે. ૧–સ્ત્રીરાગ કથાના શ્રવણનો ત્યાગ, ૨–તેનાં મનોહર
અંગોના નિરીક્ષણનો ત્યાગ, ૩–પૂર્વના ભોગોના સ્મરણનો ત્યાગ, ૪–પૌષ્ટિક રસવાળા આહારનો
ત્યાગ અને પ–પોતાના શરીરને સંસ્કારવાનો શણગારવાનો ત્યાગ. મુમુક્ષુબ્રહ્મચારીઓએ તે
ભાવનાઓનું પાલન કરવું જોઈએ–એમ ઉપદેશે છે.
હે મુમુક્ષુ! સ્ત્રીઓ દ્વારા કહેવાતી, સ્ત્રીઓના સંબંધમાં રાગપૂર્વક કહેવાતી અને જે સ્ત્રી–
વિષયમાં રાગઉત્પત્તિનું કારણ હોય એવી કોઈ પણ કથા સાંભળવા માટે જો તું એવો બની ગયો હો–કે
જાણે તારે કાન જ ન હોય–અત્યંત બહેરો હો! અર્થાત્ તે કથાઓને રાગપૂર્વક સાંભળવા માટે તું
બિલકુલ લક્ષ ન આપતો હો–૧,
–સ્ત્રીઓના મનોહર અંગોને દેખવા માટે જો તું નેત્ર વગરનો–અંધજેવો બની ગયો હો અર્થાત્
તેને રાગપૂર્વ દેખવા માટે જો તારી આંખ જ ઊંચી ન થતી હોય–૨,
–પૂર્વે ભોગવેલા ભોગોનું હવે સ્મરણ કરવા માટે જો તું એવો બની ગયો હો–કે જાણે અસંજ્ઞી–
મનવગરનો હો, અર્થાત્ પૂર્વે ભોગવેલા ભોગનું રાગપૂર્વક સ્મરણ કદી ન કરતો હો–૩,
–ઘી–દૂધ વગેરે પૌષ્ટિક અથવા સ્વાદિષ્ટ રસોનો આસ્વાદ લેવા માટે જો તું અરસજ્ઞ થઈ ગયો
હો અથવા જાણે કે તારે જીભ જ ન હોય એવો બની ગયો હો અર્થાત્ તેવા રસોનું રાગપૂર્વક કદી ગ્રહણ
ન કરતો હો–૪,
–અને પોતાના શરીરને શણગારવા માટે અને તેને મનોહર બનાવવા માટે જો તું બિલકુલ
ઉદાસીન–માનો કે ઝાડ જેવો થઈ ગયો હો. –પ
–તો અમે કહીએ છીએ કે મહાન બ્રહ્મચર્યના પ્રૌઢ મહિમાને તું ખરેખર પામી ચૂક્્યો.
શ્રી પરમાત્મપ્રકાશમાંથી
ते चैव धन्याः ते चैव सत्पुरुषाः ते जीवन्तु जीवलोके।
यौवनद्रहे पतिताः तरन्ति ये चैव लीलवा।।२–११७।।
અહો, ખરેખર તે જ જીવ ધન્ય છે, તે જ સત્પુરુષ છે અને તે જ આ જીવલોકમાં જીવે છે