Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 54 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪પ :
કે જે જીવ યૌવનઅવસ્થારૂપી બહુ ભારે તળાવમાં પડ્યા હોવા છતાં વિષયરસમાં ડુબતા નથી પણ
શુદ્ધાત્મભાવનાના બળથી લીલામાત્રમાં તેને તરી જાય છે.
જેમાં વિષયવાંછનારૂપ પાણીનો જરાપણ પ્રવેશ નથી અને જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી
રત્નોથી ભરેલું છે એવું, નિજ શુદ્ધાત્માની ભાવનારૂપી જે વહાણ તેના વડે યૌવન અવસ્થારૂપી મહાન
તળાવને જે તરી જાય છે તે જ સત્પુરુષ છે, તે જ ધન્ય છે અને તેણે જ સાચું જીવન જીવી જાણ્યું છે.
ઈન્દ્રિય–વિષયો પ્રત્યે સ્નેહને લીધે જગત દુઃખી છે એમ બતાવીને તે સ્નેહ છોડવાનું કહે છે–
योगिन स्नेहं परित्यज स्नेहो न भद्रो भवति।
स्नेहासक्त सकलं जगत् दुःखं सहमानं पश्य।।२–११५।।
હે યોગી! રાગાદિરહિત વીતરાગી પરમાત્મપદાર્થના ધ્યાનમાં સ્થિર થઈને, આત્માના વેરી એવા
સ્નેહને (–વિષયોના પ્રેમને) તું છોડ! કેમ કે વિષયોનો સ્નેહ કલ્યાણકારી નથી; વિષયોના સ્નેહમાં
આસક્ત થયેલું આખું જગત શરીર મન સંબંધી અનેક પ્રકારનાં દુઃખો સહન કરી રહ્યું છે, તેને તું દેખ.
પોતાના સ્નેહરહિત એવાઆ સંસારી જીવો શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી રહિત છે તેથી દેહાદિક ઉપર
સ્નેહ કરીને અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે. એ રીતે શુદ્ધાત્મતત્ત્વની ભાવનાનો અભાવ અને
વિષયોનો પ્રેમ તે જ દુઃખનું મૂળ છે.
અહીં સાર એ છે કે રત્નત્રયસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને તેનાથી વિરુદ્ધ એવા મિથ્યાત્વ–
રાગાદિમાં જરા પણ સ્નેહ કરવો નહિ.
કહ્યું છે કે–
तावदेव सुखी जीवो यावत्र स्निह्यते क्वचित्।
स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे।।
ત્યાં સુધી આ જીવ સુખી છે કે જ્યાં સુધી વિષયોમાં જરા પણ સ્નેહ પામતો નથી એટલે કે
શુદ્ધાત્મભાવનામાં જ મગ્ન રહે છે; અને શુદ્ધાત્મભાવનાથી ચ્યૂત થઈને જેનું હૃદય સ્નેહથી સંબંધિત છે
તેને પગલે પગલે દુઃખ છે.
શુદ્ધાત્માની પ્રાપ્તિના અભાવને લીધે જે વિષયી જીવ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત છે તે
વિનાશ પામે છે–એમ દ્રષ્ટાંતસહિત બતાવે છે–
रूपे पतङ्गाः शब्दे मृगाः गजा स्पर्शै नश्यन्ति।
अलिकुलानि गन्धेन मत्स्याः रसे किं अनुरागं कुर्वन्ति।।२–११२।।
રૂપમાં લીન થયેલા પતંગિયા દીપકમાં બળીને મરી જાય છે, શબ્દ–વિષયમાં લીન થયેલા
હરણીયાં શિકારીના બાણથી મરી જાય છે, સ્પર્શ વિષયમાં લીન થયેલા હાથીઓ ખાડામાં પડીને બંધાય
છે, સુગંધની લોલુપતાથી ભમરાઓ કમળમાં જ પૂરાઈને પ્રાણ છોડે છે અને રસના લોભી માછલાંઓ
જાળમાં પકડાઈને મરે છે; આમ એકેક ઈન્દ્રિયસંબંધી વિષયકષાયમાં આસક્ત થયેલા જીવો પણ નાશને
પામે છે, તો પાંચે ઈંદ્રિયોના વિષયોમાં લીન થનારનું તો કહેવું જ શું? આવું જાણનારા વિવેકજીવો
શુદ્ધાત્માની ભાવના છોડીને પંચેન્દ્રિય વિષયોમાં પ્રીતિ કેમ કરશે? નહિ જ કરે.
પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા તે દુર્ધ્યાન છે, તેનાથી રહિત જે નિર્દોષ પરમાત્મા તેના સમ્યક્
શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપ નિર્વિકલ્પ સમાધિથી પરમ આહ્લાદરૂપ વીતરાગીસુખ–અમૃત ઉત્પન્ન થાય છે,
તે સુખરૂપી અમૃતથી–પૂર્ણ કળશની જેમ ભરેલો, કેવળજ્ઞાનાદિ વ્યક્તિરૂપ જે કાર્ય–સમયસાર તેને
ઉત્પન્ન કરનાર શુદ્ધ ઉપયોગસ્વભાવરૂપ કારણસમયસાર છે, તેની ભાવનાથી રહિત