Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 55 of 61

background image
: ૪૬ : આત્મધર્મ: ૨૩૯
સંસારી જીવો પાંચ ઈન્દ્રિયના વિષયોમાં અનુરાગી થઈને ભવ–ભવમાં નાશ પામે છે. –આવું જાણનારા
વિવેકી જીવો વિષયો પ્રત્યે કેમ અનુરાગ કરે? કદી ન કરે. આત્માને ભૂલીને જે જીવ પાંચ ઈન્દ્રિયના
વિષયોમાં મોહિત છે તે અજ્ઞાની જીવ પોતાના ચિદાનંદસ્વભાવી પરમાત્મતત્ત્વને નહિ સેવતો થકો,
નહિ જાણતો થકો અને નહિ ભાવતો થકો, વિષયોની રુચિથી મિથ્યામાર્ગને વાંછતો થકો નરકાદિ
ગતિમાં પડે છે ને ત્યાં ઘાણીમાં પીલાવું, કરવતથી કપાવું, શસ્ત્રથી છેદાવું ઈત્યાદિ હજારો પ્રકારના
દુઃખોને શરીર ઉપરની પ્રીતિને લીધે ભોગવે છે. અને જે જીવ શુદ્ધઆત્મતત્ત્વની ભાવનામાં લીન છે
અને વિષયો પ્રત્યેના સ્નેહનો ત્યાગી છે તે જીવ અલ્પકાળમાં સંસારને તરી જાય છે.
માટે મોક્ષાર્થી ભવ્યજીવોએ પોતાના શુદ્ધ આત્મસ્વભાવની રુચિ અને ભાવના પ્રગટ કરીને
ઈન્દ્રિયવિષયોની રુચિ ને ભાવના છોડવાયોગ્ય છે.
શ્રી પદ્મનંદી પચ્ચીસીમાંથી
*
કામ ઉપર વિજયી સંતોને નમસ્કાર
આ જગતમાં કેટલાક એવા પણ રાજાઓ વિદ્યમાન છે કે જે નજર ફેંકતાં જ
(વાતવાતમાં) શત્રુસમૂહને જીતી લે છે; એવા રાજાઓના હૃદયમાં પણ વેગપૂર્વક જે કામદેવરૂપી
યોદ્ધાએ દ્રઢતાથી બાણને ખૂંચવી દીધું છે એવા અત્યંત પરાક્રમી કામદેવરૂપી સુભટને પણ, સર્વ પ્રકારના
શસ્ત્રોથી રહિત તથા જેનો આત્મા ક્રોધાદિ કષાયોના નાશથી શાંત થઈ ગયો છે એવા સંતોએ
લીલામાત્રમાં નષ્ટ કરી દીધો છે; એવા કામવિજયી સંતોને નમસ્કાર હો.
બ્રહ્મચારી કોણ થઈ શકે?
જે સમસ્ત પદાર્થોથી ભિન્ન અને જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે ‘બ્રહ્મ’ છે; પોતાના શરીરમાં
આસકિત રહિત એવા મુનિઓને બ્રહ્મસ્વરૂપ આત્મામાં જે ચર્યા એટલે કે એકાગ્રતા છે તે જ બ્રહ્મચર્ય
છે અનેએવા બ્રહ્મચર્યપૂર્વક બહારમાં જે વૃદ્ધ વગેરે સ્ત્રીઓ છે તેને માતા–બહેન કે પુત્રી સમાન
નિર્વિકાર દ્રષ્ટિથી દેખે છે, –આમ થાય છે ત્યારે તે યતિ બ્રહ્મચારી છે. (અહીં અંતરંગ અને બહિરંગ
બંને પ્રકારના બ્રહ્મચર્યનો સમાવેશ કરી દીધો છે. પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં એકાગ્રતા તે તો
અંતરંગ બ્રહ્મચર્ય છે, તે વીતરાગભાવરૂપ છે, અને જ્યારે વીતરાગતામાં સ્થિર ન રહેવાય ને બહાર
લક્ષ જાય ત્યારે સ્ત્રીઓ પ્રત્યે માતા–બહેન કે પુત્રીનો વિકલ્પ આવે પણ બીજો કોઈ અશુભ વિકલ્પ ન
આવે, તે બહિરંગ બ્રહ્મચર્ય એટલે કે વ્યવહાર બ્રહ્મચર્ય છે, તેમાં શુભરાગ છે.)
દ્રઢ સંયમ જ બ્રહ્મચર્યની રક્ષા કરે છે
‘ભોજન કરવાથી બ્રહ્મચર્ય નષ્ટ થઈ જાય છે, તથા ભોજન નહિ કરવાથી બ્રહ્મચર્યવ્રત પળાય
છે’ – એમ વાત બરાબર નથી, અર્થાત્ ભોજનના ગુણને આધારે બ્રહ્મચર્ય નથી, કેમ કે અત્યંત
બળવાન એવો સિંહ સદા હાથી વગેરેના માંસને ખાતો હોવા છતાં તે વર્ષમાં એક વાર રતિ ભોગવે છે
અને કબુતર સદા પત્થરના ટૂકડા–દાણા ચરે છે તોપણ તે સદા રતિ કરે છે. માટે આહારના આધારે
બ્રહ્મચર્ય પળતું નથી, પણ સાધુઓને એકમાત્ર મનનો દ્રઢ સંયમ જ તેના બ્રહ્મચર્યની રક્ષા કરે છે.
સાધુનું મન કોઈ બાહ્યવિષયોમાં ન ભમતાં ચૈતન્યસ્વરૂપમાં જ દ્રઢ પણે લીન રહે છે તે જ દ્રઢ
સંયમ છે; એવા સંયમવડે જ બ્રહ્મચર્યની રક્ષા