Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 56 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૪૭ :
થાય છે–એમ અહીં બતાવ્યું છે. અને જેને એવો સંયમ હોય છે તેમને આહારાદિની ગૃદ્ધિ તો કદી હોતી
જ નથી. પણ ભાવસંયમ પ્રગટ કર્યા વગર માત્ર આહાર છોડવાથી બ્રહ્મચર્યનું પાલન થતું નથી–એમ
જાણવું.
ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્ર થતાં, ચૈતન્ય અને ભાવમનની એકતા થતાં અતીન્દ્રિય આનંદ
પ્રગટે છે તે ભાવસંયમ છે અને એવા ભાવસંયમી મુનિ મૂળગુણો અને ઉત્તરગુણોનું યથાશક્તિ રક્ષણ
કરે છે તે બ્રહ્મમનનો સંયમ છે. એ બંને પ્રકારના સંયમને સર્વત્ર બ્રહ્મચર્યની રક્ષાના હેતુ જાણવા.
જે સ્ત્રીના શરીર પાસે કેળસ્તંભ, કમળ, ચંદ્ર વગેરે પણ પ્રતિષ્ઠા પામ્યા નહિ, (એટલે કે તે
બધાથી પણ શરીરને સુંદર કહેવાતું) તે જ સ્ત્રીનું શરીર જ્યારે મૃતક કલેવર–મડદું થઈ જાય છે અને
સ્મશાનભૂમિમાં ફેંકી દેવામાં આવે છે તથા કાગડા વગેરે પક્ષીઓ તેના શરીરને ચૂંથીને ટૂકડે ટૂકડા કરી
નાંખે છે, ત્યારે તો માણસો તે શરીરને દેખતાં ભયભીત થઈને પોતાનું નાક ઢાંકતા થકા એકદમ તેને
છોડી દે છે.
–એવા તે અપવિત્ર અને અનિત્ય શરીરમાં મૂર્ખ સિવાય બીજો કોણ સુખ માને?
રાજહંસ
જેમ સડેલાં મડદાંથી ભરેલી સ્મશાનભૂમિ પ્રાપ્ત થતાં કાળા કાગડાઓના ટોળાં જ સંતુષ્ટ થાય
છે, સફેદ રાજહંસોના ટોળાં તેનાથી સંતુષ્ટ નથી થતા, તેમ સ્ત્રીઓનું શરીર ભલે મનોહર હોય, યૌવન
અવસ્થા અને લાવણ્યથી ભરેલું હોય અને અનેક પ્રકારના આભૂષણોથી ભૂષિત હોય, તોપણ તે માત્ર
મૂઢબુદ્ધિવાળા પુરુષોને જ આનંદ દેનારું છે પરંતુ સજ્જન પુરુષોનેત્ર. આનંદ દેનારું નથી અર્થાત્
કાગડાની જેમ મૂર્ખ અજ્ઞાની લોકો જ સ્ત્રીના શરીરમાં સુખની કલ્પના કરે છે, પણ રાજહંસની જેમ
જ્ઞાની સત્પુરુષો તેમાં કદાપિ સુખ માનતા નથી.
ધર્માત્માને જગતને વિષે પોતાનો રત્નત્રયસ્વરૂપ
આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય
નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને
પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે
અભેદબુદ્ધિથી પરમવાત્સલ્ય હોય છે. પોતાને
રત્નત્રયધર્મમાં પરમવાત્સલ્ય હોવાથી બીજા જે જે
જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના પ્રત્યે પણ તેને
વાત્સલ્યની ઊર્મિ આવ્યા વિના રહેતી નથી.