Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 57 of 61

background image
: ૪૮ : આત્મધર્મ: ૨૩૯
પ ર્યુ ષ ણ ના પ હે લા અ ને
છે લ્લા પ્ર વ ચ ન માં થી
(ભાદરવા સુદ પાંચમ)
આજે દસલક્ષણધર્મનો પહેલો દિવસ છે. ઉત્તમક્ષમાદિ જે દસ ધર્મો છે તે સમ્યક્ત્વપૂર્વકના
ચારિત્રના ભેદો છે. સમ્યગ્દર્શન વગર તો ઉત્તમક્ષમાદિ કોઈ પણ ધર્મ હોતો નથી. જેને ચૈતન્યનું ભાન
નથી ને દેહમાં એકત્વબુદ્ધિ છે તેને પ્રતિકૂળતા આવતાં ક્રોધ થયા વિના રહેશે નહિ, એટલે તેને ક્ષમા
હોય નહિ.
આજે ઉત્તમક્ષમાધર્મનો દિવસ છે. ચિદાનંદ તત્ત્વના ભાનપૂર્વક તેમાં એકાગ્ર થતાં જગતના
બાહ્યપદાર્થો ઉપરથી રાગ–દ્વેષ છૂટી જાય છે, એટલે ગમે તેવા પ્રતિકૂળ બાહ્ય સંયોગોના ઢગલા આવી
પડે તોપણ તેમને ક્રોધ થતો નથી, વીતરાગભાવ ટકી રહે છે, તેનું નામ ઉત્તમક્ષમાધર્મ છે. “બારસ્ય
અનુપ્રેક્ષા” માં ઉત્તમક્ષમાધર્મનું વર્ણન કરતાં કહે છે કે–
ક્રોધ ઉત્પન્ન થવાના સાક્ષાત્ બાહ્ય કારણ મળવાછતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને
ઉત્તમક્ષમાધર્મ થાય છે. શાંત–અકષાય ચિદાનંદ તત્ત્વની જ્યાં દ્રષ્ટિ થઈ, ને દ્રષ્ટિ ઉપરાંત સ્થિરતા થઈ,
ત્યાં ધર્માત્મા મુનિ ગમે તેવા બાહ્ય કારણો એટલે પ્રતિકૂળ સંયોગો ઊભા થાય તોપણ ક્રોધ થવા દેતા
નથી, તેમને ઉત્તમક્ષમાધર્મ થાય છે. આવા ધર્મોની આરાધનાના દિવસો (દસલક્ષણીયપર્વ) આજે શરૂ
થાય છે ને ભાદરવા સુદ ૧૪ને દિવસે પૂરા થશે. આ જ સનાતન જૈનમાર્ગમાં પર્યુષણ છે. ધર્મની
આરાધના તો ગમે તે દિવસે થઈ શકે છે. પણ આ દસ દિવસો ખાસ પર્વના છે. –આવા ધર્મની
આરાધના કરવા માટે પહેલાં તો અનંતશક્તિસંપન્ન ચૈતન્યતત્ત્વ શું છે તે ઓળખવું જોઈએ.
(બારસ્સ અનુપ્રેક્ષા ઉપર પ્રવચન)
(ભાદરવા સુદ ૧૪)
દસલક્ષણધર્મમાં છેલ્લો દિવસ ઉત્તમ બ્રહ્મચર્યધર્મનો છે. આ ધર્મો સમ્યગ્દર્શન વગર હોતા નથી.
ધર્મનું મૂળીયું જ સમ્યગ્દર્શન છે. અહીં ઉત્તમબ્રહ્મચર્યધર્મ કોને હોય છે તે આચાર્યદેવ કહે છે– ‘સુકૃતિ’
એટલે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા, તેને બ્રહ્માનંદસ્વરૂપ આત્માનું ભાન થયું છે અને તેની સન્મુખ પરિણતિની
લીનતા થઈ છે ત્યાં સ્ત્રી વગેરેને જોતાં તેને દુર્ભાવોની ઉત્પત્તિ થતી નથી, –આવી નિર્મળપરિણિતિનું
નામ બ્રહ્મચર્યધર્મ છે. જે પવિત્ર આત્મા એટલે સમ્યગ્દ્રષ્ટિ આત્મા, ચૈતન્યના અતીન્દ્રિય આનંદના સ્વાદ
પાસે જેણે જગતના વિષયોને તૂચ્છ જાણ્યા છે એવો ધર્માત્મા, સ્ત્રી વગેરેના અંગો જોતાં પણ વિકૃતિ
પામતો નથી તેને દુર્દ્વર એવો બ્રહ્મચર્યધર્મ હોય છે. જેને ચૈતન્યનું ભાન ન હોય ને પરવિષયોમાં સુખ
માનતો હોય તે કદાચ શુભરાગવડે બ્રહ્મચર્ય પાળતો હોય–તોપણ તેના બ્રહ્મચર્યને ધર્મ કહેતા નથી. તેની
તો દ્રષ્ટિ જ મેલી છે, તે રાગથી ધર્મ માને છે તેથી તેનામાં પવિત્રતા નથી. અને જે આત્માને પવિત્રતા
નથી તેને બ્રહ્મચર્યાદિ કોઈ ધર્મ હોતો નથી. તેથી અહીં ‘પવિત્રઆત્મા’ એમ કહ્યું છે. જેનામાં પવિત્રતા
છે, જેના શ્રદ્ધા–જ્ઞાન ચોકખા થયા છે એવા ધર્માત્માને જ બ્રહ્મચર્યાદિ વીતરાગીધર્મોની આરાધના હોય
છે. સમ્યગ્દર્શન વગર આરાધના કોની કરશે? –જેની આરાધના કરવી છે તેને પ્રથમ શ્રદ્ધા–જ્ઞાનમાં લ્યે,
પછી તેમાં સ્થિરતા કરીને તેની આરાધના કરે. આવી આરાધનામાં જ ઉત્તમ ક્ષમા, બ્રહ્મચર્ય વગેરે ધર્મો
હોય છે. (બારસ્સ અનુપ્રેક્ષા ઉપર પ્રવચન)