Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 59 of 61

background image
: પ૦ : આત્મધર્મ: ૨૩૯
સમન્તભદ્રસ્વામીનું વ્યસન
*
તમને જાણીને આશ્ચર્ય થશે કે સમન્તભદ્રસ્વામીને એક વ્યસન હતું... પણ શેનું ખબર છે? – એ
વ્યસન હતું જિનેન્દ્રભગવાનની સુંદર સ્તુતિ કરવાનું. જિનેન્દ્ર ભગવાનની સ્તુતિનો પ્રસંગ આવે ત્યાં
તેમના હૃદયના તાર ઝણઝણી ઉઠતા... જિનેન્દ્ર ભગવાન પ્રત્યે તેમને એવી લગની હતી–જાણે કે
જિનેન્દ્રભક્તિને માટે પોતાની જાતને અર્પણ કરી દીધી હોય! તેમના જ શબ્દોમાં જોઈએ તો
‘સ્તુતિવિદ્યા’ ગા. ૧૧૪માં તેઓ કહે છે કે:–
सुभद्रा मम ते मते स्मृतिरपि त्वय्यर्चनं चाऽपि ते
हस्तावंजले कथा–श्रुति–रतः कर्णोऽक्षि संप्रेक्षते।
सुस्तुत्यां व्यसनं शिरो नतिपरं सेवेद्रशी येन ते
तेजस्वी सुजनोऽमेव सुकृति तेनैव तेजःपते।।
વીરજિનેન્દ્રને અનુલક્ષીને કહે છે કે હે ભગવન્! મારી સુશ્રદ્ધા આપના મતમાં છે, મારી સ્મૃતિ
પણ સદા આપનું જ સ્મરણ કરે છે, હું પૂજન પણ આપનું જ કરું છું, મારા હાથ આપને જ અંજલિ
જોડવા માટે છે, મારા કાન આપના જ ગુણોની કથા સાંભળવામાં લીન રહે છે, મારી આંખ આપના જ
સુંદર રૂપને દેખ્યા કરે છે, અને મને જે વ્યસન છે તે આપની સુંદર સ્તુતિઓ રચવાનું જ છે, મારું
મસ્તક પણ આપને જ પ્રણામ કરવામાં તત્પર રહે છે. –હે પ્રભો! આમ સર્વ પ્રકારે હું આપનું આરાધન
કર્યા કરું છું. તેથી હે તેજપતે! –હે કેવળજ્ઞાની પ્રભો! હું તેજસ્વી છું, સુજન છું અને સુકૃતી છું.
વ્યસન એટલે લગની; જેને જેનું વ્યસન હોય તેના વગર તે રહી શકતો નથી; જેમ બીડી,
અફીણ વગેરેનો કુવ્યસની તેના વગર રહી શકતો નથી ને તે વસ્તુ જોતાં જ તે તરફ તેની વૃત્તિ ઝૂકી
જાય છે, તેમ ભગવાનનો ભક્ત–જેને ચૈતન્યના પરમગુણોના આસ્વાદનની રુચિનું વ્યસન લાગ્યું છે
તેને પરમાત્મા પ્રત્યે પ્રમોદ ઊછળે છે કે અહો નાથ! આપના ગુણોની શી વાત! અમે તો આપના
દાસનુદાસ છીએ... અમને વ્યસન લાગ્યું છે–આપની ઉત્તમસ્તુતિ કરવાનું નાથ! આપનાં ગુણો દેખીને
અમારાથી રહી શકાતું નથી ને સહેજે આપની સ્તુતિ થઈ જાય છે. આપના ગુણો પ્રત્યેનો અમારો પ્રમોદ
ઝાલ્યો રહેતો નથી. આપની વીતરાગતાનું (અને અંદરમાં પોતાના વીતરાગસ્વભાવનું) એવું અચિંત્ય
બહુમાન છે કે એના સ્તવન વગર એક દિવસ પણ રહી શક્તો નથી. નાથ! લગની હોય તો તારી
વીતરાગતાની છે, બીજી કોઈ વસ્તુની લગની આ જગતમાં નથી.
આ સમન્તભદ્રસ્વામી જૈનશાસનના મહાનપ્રભાવાળી સંત હતા... કુંદકુંદપ્રભુ પછી લગભગ
૧૦૦ વર્ષ બાદ તેઓ થયા. ભગવાનની ઉત્તમ સ્તુતિઓનો તેમણે એવો ધોધ વહેવડાવ્યો છે કે તેઓ
જૈનસાહિત્યમાં “આદ્ય સ્તુતિકાર” તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ રચેલી ૨૪ તીર્થંકરભગવંતોની સ્તુતિ
ઘણી રોમાંચક, ઘણી ગંભીર ને ઘણી રહસ્યપૂર્ણ છે, તે “સ્વયંભૂસ્તોત્ર” તરીકે પ્રસિદ્ધ છે; તે સ્તુતિ
વખતે ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા પ્રગટી હતી. હાલમાં તે સ્તુતિ ઉપર પૂ. ગુરુદેવના કેટલાક પ્રવચનો
થયા છે. સમન્તભદ્રસ્વામી પણ ભવિષ્યમાં હોનહાર તીર્થંકર તરીકે મનાય છે.
નમસ્કાર હો એ પરમ જિનભક્ત શાસનપ્રભાવી ધીર–વીર સંતને!