Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૯ઃ
પણ મૂળ વસ્તુને જો અતીન્દ્રિય સ્વસંવેદનથી પકડે તો તેમાં બધાય શાસ્ત્રોનો સાર
આવી જાય છે. નિરપેક્ષ જ્ઞાનવાળો આત્મા છે, તેને ઇન્દ્રિયોની અપેક્ષા નથી, મનની
અપેક્ષા નથી, રાગની અપેક્ષા નથી. પ્રભો! તારું જ્ઞાન તે પરની ઓશીયાળવાળું હોય?
શું તારો આત્મા પંગુ છે કે તેના જ્ઞાનને પરની ઓશીયાળ હોય? નહિ;
સ્વાધીનજ્ઞાનસ્વભાવવાળો આત્મા છે, તેના જ્ઞાનને પરની ઓશીયાળ નથી; પરનું
અવલંબન તે શરમ છે, તેમ જ્ઞાનમૂર્તિ આત્માને જ્ઞાન કરવા માટે જડનો ટેકો લેવો પડે
તે શરમ છે. સ્વભાવનું ધામ છે તેને પરાવલંબનનું કામ નથી. ચૈતન્યધામ આત્મા, તેમાં
વળી પરનું અવલંબન શું? જે પોતે જ જ્ઞાન છે તે અતીન્દ્રિયપણે જાણવાના
સામર્થ્યવાળો છે. આવો અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવી આત્મા છે. આવા આત્માને લક્ષમાં લ્યે
તો બહારનાં જાણપણાના ગર્વ ઊડી જાય. બહારનો મહિમા છૂટે ત્યારે આ
અતીન્દ્રિયવસ્તુ હાથમાં આવશે. ભાઈ, આત્મારૂપ થઈને આત્માને જો. ઇન્દ્રિયરૂપ થઈને
આત્મા નથી જોવાતો. એકવાર ઇન્દ્રિયાતીત થઈને સ્વસન્મુખ થા....એટલે
અતીન્દ્રિયજ્ઞાનરૂપ થા....અતીન્દ્રિયજ્ઞાનરૂપ થઈને આત્મા જણાય છે. “હું ઇન્દ્રિય વડે
જાણનાર છું” એમ માને તો આત્માનું પરમાર્થસ્વરૂપ ન પકડાય. ‘અતીન્દ્રિયજ્ઞાનવડે હું
જાણનાર છું’ એમ ઓળખે તો પરમાર્થસ્વરૂપ આત્મા જણાય.
જંગલમાં વસતા ને આત્માના આનંદમાં ઝૂલતા સંતોએ સ્વાનુભવમાં ભગવાન
સાથે વાતું કરતાં કરતાં આ વાત લખી છે. અહો, આ પંચમકાળે આવા મુનિઓ
પાકયા!! અત્યારે તો એનાં દર્શન પણ દુર્લભ છે. અહો, એ સંત–મહંતના ચરણમાં
ભાવનમસ્કાર છે. વાહ! એની અંતર દશા!! પંચપરમેષ્ઠીમાં જેનું સ્થાન છે.
કુંદકુંદભગવાન આ ભરતક્ષેત્રમાં વિચરતા હશે–એ તો જાણે ચાલતા સિદ્ધ! જેનાં
દર્શનથી મોક્ષતત્ત્વ પ્રતીતમાં આવી જાય. તેમણે કહેલો આ એકજ રસ્તો સંસારથી બહાર
નીકળવાનો છે, બીજો રસ્તો નથી.
સીમંધરભગવાન સર્વજ્ઞપદે વિદેહક્ષેત્રમાં બિરાજે છે....ત્રણકાળની સમયસમયની વાત
તેમના જ્ઞાનમાં વર્તી રહી છે....ભરતક્ષેત્રમાં આમ બની રહ્યું છે, આમ બનશે–એ બધું તેમના
જ્ઞાનમાં સાક્ષાત્ વર્તી રહ્યું છે, પણ તેમને કોઈ વિકલ્પ નથી; તેઓ તો નિજાનંદમાં લીન છે.
આત્મા તો આનંદનું મંદિર છે, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિયઆનંદનું ધામ આત્મા છે.
આવો અતીન્દ્રિયઆત્મા જેમ પોતે ઇન્દ્રિયથી જાણવાના સ્વભાવવાળો નથી, તેમ
તે ઇન્દ્રિયજ્ઞાનવડે જણાય તેવો પણ નથી. અતીન્દ્રિય આત્મા તો અતીન્દ્રિયજ્ઞાન વડે જ
જણાય એવો છે. આવો આત્મા તે જ આદરણીય છે. વચ્ચે તે વખતે વ્યવહારજ્ઞાન હો
ભલે, પણ તે કાંઈ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થસ્વભાવ જ છે.