અનુભવને ઉગ્ર કરીને સ્વાદમાં લ્યે છે, એવા પુરુષ નિયમથી ચોક્કસ ધ્રુવપણે નિર્વાણને
પામે છે; તેમને સુમાર્ગશાળી કહ્યા છે.
છે, ને એવા સમ્યક્શીલવાળો જીવ જરૂર નિર્વાણ પામે છે. ચૈતન્યધ્યેયને ચૂકીને જેણે
પરને ધ્યેય બનાવ્યું છે તે જીવને શીલની રક્ષા નથી, શરીરથી ભલે બ્રહ્મચર્ય પાળતો હોય
પણ જો અંદરમાં રાગની રુચિ છે તો તેને શીલની રક્ષા નથી, તેને દર્શનશુદ્ધિ નથી.
ચૈતન્ય સ્વભાવની રુચિ જેણે પ્રગટ કરી છે ને રાગની રુચિ છોડી છે તેને ચૈતન્યધ્યેયે
બાહ્યવિષયોનું ધ્યેય છૂટી જાય છે; આવું શીલ તે નિર્વાણમાર્ગમાં પ્રધાન છે. આ બે
ગાથામાં તો દર્શનશુદ્ધિ ઉપરાંત ચારિત્રની વાત કરીને સાક્ષાત્ નિર્વાણમાર્ગ કહ્યો.
યથાર્થમાર્ગ પ્રતિપાદન કરે છે, તો તે જ્ઞાનીને માર્ગની પ્રાપ્તિ કહેવામાં આવે છે.
સમ્યક્માર્ગનું પોતાને ભાન છે ને સમ્યક્માર્ગનું બરાબર પ્રતિપાદન કરે છે પણ હજી
વિષયથી અત્યંત વિરક્તિરૂપ મુનિદશા વગેરે નથી, અસ્થિરતા છે, તોપણ તે જ્ઞાની
ધર્માત્મા મોક્ષમાર્ગના સાધક છે. તેને ઇષ્ટમાર્ગની પ્રાપ્તિ છે અને તે યથાર્થ માર્ગ
બતાવનારા છે તેથી તેના ઉપદેશથી બીજાને પણ સમ્યક્માર્ગની પ્રાપ્તિ થાય છે. પણ જે
જીવ વિષયોથી–રાગથી લાભ મનાવે તેને તો સમ્યક્માર્ગની શ્રદ્ધા જ નથી, તે તો
ઉન્માર્ગે છે, અને ઉન્માર્ગનો બતાવનાર છે. ધર્મીને રાગ હોય પણ તેને તે બંધનું જ
કારણ જાણે છે; તેથી રાગ હોવા છતાં તેની શ્રદ્ધામાં વિપરીતતા નથી, તેને માર્ગની પ્રાપ્તિ
છે ને તેના ઉપયોગથી બીજા જીવો પણ માર્ગની પ્રાપ્તિ કરી શકશે.
શ્રદ્ધા જ્ઞાન અને તેમાં લીનતારૂપ વીતરાગતા તે જ મોક્ષનો માર્ગ છે. મોક્ષાર્થીએ એવી
વીતરાગતા જ કર્તવ્ય છે, ક્યાંય જરાપણ રાગ કર્તવ્ય નથી. રાગનો એક કણિયો પણ
મોક્ષને રોકનાર છે, તે મોક્ષનું સાધન કેમ થાય? આમ જ્ઞાનીને શ્રદ્ધા છે; અહા, જ્યાં
પુણ્યભાવને પણ છોડવા જેવો માને છે ત્યાં જ્ઞાની પાપમાં તો સ્વચ્છંદે