Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 42

background image
ઃ ૨૨ઃ આત્મધર્મઃ ૨૪૧
જ્ઞાનીની અદ્ભુત દશા
*
સમકિતી–ધર્માત્મા જાણે છે કે અમારા ચૈતન્યના અતીન્દ્રિય સ્વાદ
પાસે આખા જગતનો વૈભવ તુચ્છ છે....ચૈતન્યનો રસ અત્યંત
મધુર....અત્યંત શાં...ત...અત્યંત નિર્વિકાર...એના સંવેદનથી એવી
તૃપ્તિ થાય કે જગત આખાનો રસ ઊડી જાય. સાધકહૃદયના
ગંભીરભાવો ઓળખવાનું સાધારણ જીવોને મુશ્કેલ પડે તેવું છે.
*
અજ્ઞાનથી જ વિકારનું કર્તાપણું છે, ને જ્ઞાનથી તે કર્તાપણાનો નાશ થાય છે–
આમ જે જીવ જાણે છે તે સકલ પરભાવનું કર્તૃત્વ છોડીને જ્ઞાનમય થાય છે. નિશ્ચયને
જાણનારા જ્ઞાનીઓએ એમ કહ્યું છે કે આત્મા અજ્ઞાનથી જ વિભાવનો કર્તા થાય છે.
જ્યાં ભિન્ન ચૈતન્યસ્વભાવનું ભાન થયું ત્યાં પોતાના શુદ્ધ ચૈતન્ય સિવાય બીજે ક્યાંય
આત્મવિકલ્પ થતો નથી. એટલે તે જ્ઞાની સમસ્ત પરભાવને પોતાના સ્વભાવથી ભિન્ન
જાણતો થકો તેનું કર્તૃત્વ છોડી દે છે.
જુઓ, આ જ્ઞાનીનું કાર્ય! જ્ઞાની થયો તે આત્મા પોતાના ચૈતન્યના ભિન્નસ્વાદને
જાણે છે. જ્યાં ચૈતન્યના અત્યંત મધુર શાંતરસનો સ્વાદ જાણ્યો ત્યાં કડવા સ્વાદવાળા
કષાયોમાં આત્મબુદ્ધિ કેમ થાય? રાગાદિ ભાવો મારા સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલા છે–
એમ જ્ઞાનીને જરા પણ ભાસતું નથી. શુદ્ધજ્ઞાનમય સ્વભાવના આધારે તેને નિર્મળ
જ્ઞાનભાવોની જ ઉત્પત્તિ થાય છે અને તેનો જ તે કર્તા થાય છે વિકલ્પની ઉત્પત્તિ જ જ્યાં
મારા જ્ઞાનમાં નથી તો પછી તે વિકલ્પ વડે જ્ઞાનની પુષ્ટિ થાય એ વાત ક્યાં રહી? આથી
જ્ઞાનથી ભિન્ન સમસ્ત વિકલ્પોનું કર્તૃત્વ છૂટી ગયું છે.
આ આત્મા અનાદિથી અજ્ઞાની વર્તે છે, તેને પોતાના સ્વભાવના સ્વાદનું અને
વિકારના સ્વાદનું ભેદજ્ઞાન નથી એટલે બન્નેને એકમેકપણે અનુભવે છે; દેહથી
ભિન્નતાની વાત તો સ્થૂળમાં ગઈ, અહીં તો અંદરના અરૂપી વિકલ્પોથી પણ ચૈતન્યની
ભિન્નતા બતાવવી છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનની શક્તિ બીડાઈ ગઈ છે, ભેદજ્ઞાન કરવાની
શક્તિ તો દરેક આત્મામાં