Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૭ઃ
પ્રસંગો બન્યા....સં. ૧૯૯૧માં જાહેર રીતે સંપ્રદાય–પરિવર્તન કરીને દિગંબર જૈનધર્મનો
સ્વીકાર કર્યો...સમાજની પરવા કર્યા વગર પોતાના માર્ગમાં એક આત્મસાધનાને
લક્ષમાં રાખીને આગળ વધ્યા....નિઃશંકતાના બીજા અનેક કારણો પણ આવી મલ્યા....
પછી તો ધીમે ધીમે સત્યના જિજ્ઞાસુ જીવો એ સંત પ્રત્યે આકર્ષાયા...ને એમની
આત્મસ્પર્શી વાણી ઝીલીને પાવન થયા.....
સૌરાષ્ટ્રમાં તેમનો વિહાર થતાં એક અનોખી જાગૃતિ સમગ્ર જૈનસમાજમાં ફેલાઈ
ગઈ....તેમના દ્વારા પ્રરુપેલ તત્ત્વની ચર્ચા ઠેરઠેર ચાલવા લાગી...ભગવાન
સીમંધરનાથના જિનમંદિરની સ્થાપના સોનગઢમાં થઈ....ગામેગામ બીજા અનેક
દિગંબર જિનમંદિરો સ્થપાયા....લાખો પુસ્તકોદ્વારા સાહિત્યપ્રચાર થયો....૪૦ ઉપરાંત
કુમાર ભાઈ–બહેનોએ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લઈને આત્મહિતના ધ્યેયને
અપનાવ્યું.....ગીરનાર–શત્રુંજય વગેરે તીર્થોની યાત્રા થઈ....સમ્મેદશિખર અને બાહુબલી
વગેરે તીર્થોની વિશાળ સંઘસહિત યાત્રા દ્વારા ભારતભરમાં મહાન પ્રભાવ
ફેલાયો....પ્રભાવનાના અનેક અસાધારણ પ્રસંગો બન્યા....
આવા મહાન પ્રભાવશાળી કહાનગુરુદેવના ૭પમા રત્નજયંતિમહોત્સવ પ્રસંગે
સમસ્ત જૈનસમાજના અભિનંદનરૂપ જે અભિનંદનગ્રંથ બહાર પડશે તેમાં આપનો
સહકાર તુરત જ મોકલી આપવા હાર્દિક નિમંત્રણ છે. આપના તરફથી શ્રદ્ધાંજલી અને
પ્રસંગોચિત સાહિત્ય લેખ–કવિતા–ચિત્ર–પ્રસંગ વગેરે તુરત મોકલવા વિનંતિ છે.
સંપાદક સમિતિ
પં. ફૂલચંદજી શાસ્ત્રીખીમચંદ જે. શેઠ
પં. હિંમતલાલ જે. શાહબ્ર. હરિલાલ જૈન
નીચેના બેમાંથી કોઈપણ સરનામે આપનું લખાણ વગેરે મોકલાવશો–
(૧)શ્રીકાનજીસ્વામીઅભિનંદનગ્રંથસમિતિ, (૨)શ્રીકાનજીસ્વામીઅભિનંદનગ્રંથસમિતિ
C/o. દિગંબર જૈન મુમુક્ષુમંડળC/o. જૈન સ્વાધ્યાય મંદિર
૧૭૩–૧૭પ મુમ્બાદેવી રોડ, મુંબઈ–૨સોનગઢ (સૌરાષ્ટ્ર)
[ગુરુદેવને લગતા ખાસ ફોટાઓ આપની પાસે હોય તો તે તુરત (સોનગઢ
ઉપરોક્ત સરનામે) મોકલવા વિનંતિ છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. જે ફોટા પાછા
મંગાવવાના હોય તેની પાછળ આપનું સરનામું લખવું. અભિનંદનગ્રંથ સંબંધી
સલાહસૂચનો આપ મોકલી શકો છો.]