Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 42

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૨૪૧
સુપ્રભાતરૂપ સંતોનો આત્મા પોતે તો આનંદરૂપ છે,
ને બીજા જીવોને માટે પણ તે આનંદનું કારણ છે.
(બેસતા વર્ષનું મંગલ પ્રવચનઃ વીર સં. ૨૪૮૮)
આજે બેસતું વર્ષ છે. ખરેખર તો આત્મામાં સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાતનો સૂર્ય
ઊગે તે પ્રથમ દરજ્જાનું સુપ્રભાત છે અને આત્માની શક્તિમાંથી અનંતચતુષ્ટય
પ્રગટે.–કેવળજ્ઞાન–કેવળદર્શન–અનંતસુખ ને અનંતવીર્યરૂપ સ્વચતુષ્ટયનું પ્રગટ
પરિણમન થઈને ઝળહળતું સુપ્રભાત પ્રગટે, તે ઉત્કૃષ્ટ સુપ્રભાત છે. તે મંગલપ્રભાત
ઊગ્યું તે ઊગ્યું હવે કદી આથમે નહિ. બહારમાં કારતક સુદ એકમના સૂર્ય તો
અનંતવાર ઊગ્યા ને પાછા આથમી ગયા પણ ચૈતન્યના અનુભવમાંથી જે અનંત
ચતુષ્ટય પ્રગટયા તે સાદિઅનંત છે. સાદિઅનંત આનંદરૂપ સુપ્રભાત પ્રગટયું તે
મહામંગળ છે. તેમાં સંસારરૂપી રાત્રિના અંધકારનો અભાવ છે. મિથ્યાત્વરૂપી
રાત્રિનો નાશ કરીને સમ્યગ્દર્શનરૂપી સૂર્ય પ્રગટયો તે પણ મંગળ સુપ્રભાત છે.અને
સંસારરૂપી રાત્રિના અંધકારનો નાશ કરીને કેવળજ્ઞાનરૂપી ઝળહળતો ચૈતન્યપ્રકાશ
પ્રગટયો તે મહામંગળરૂપ છે. સમયસારમાં આવા મંગલ સુપ્રભાતનો કળશ
(૨૬૮ મો) છે, તેમાં કહે છે કેઃ–
આત્મામાં સુપ્રભાતનો ઉદય થયો છે–કઈ રીતે? કે દરેક આત્મામાં કેવળજ્ઞાનાદિ
સ્વભાવચતુષ્ટય શક્તિરૂપે તો ત્રિકાળ રહેલા છે, તેમાં અંતર્મુખ થતાં પર્યાયમાં
કેવળજ્ઞાન આદિ સ્વચતુષ્ટયનો ઉદય થાય છે. જે પુરુષ અનેકાન્તવડે ઓળખીને
અનંતધર્મસ્વરૂપ આ ચૈતન્યપિંડનો આશ્રય કરે છે તેને ચૈતન્યના વિલાસથી શોભતું
અતીન્દ્રિય જ્ઞાન અને આનંદ