સર્વજ્ઞ પ્રત્યક્ષ દેખાતા નથી; જેમ ગધેડાના શિંગડા દેખાતાં નથી તેમ સર્વજ્ઞ દેખાતા
નથી માટે સર્વજ્ઞ નથી–આમ નાસ્તિક કુતર્ક કરે છે. તમે તો કહો છો કે અનંતા સર્વજ્ઞો
છે, એકેક જીવમાં સર્વજ્ઞ થવાનું સામર્થ્ય છે, અત્યારે મહાવિદેહમાં સીમંધર ભગવાન
વગેરે સર્વજ્ઞ ભગવંતો બિરાજે છે. પણ અમને તો સર્વજ્ઞ દેખાતા નથી.
આ કાળે આ ક્ષેેત્રે સર્વજ્ઞ નથી એ તો બરાબર છે, પણ જગતમાં ક્યાંય સર્વજ્ઞ નથી
એમ જો તું કહેતો હો તો શું તેં ત્રણ લોકને અને ત્રણ કાળને જોયા છે? બધું ક્ષેત્ર જોયા
વિના “અહીં સર્વજ્ઞ નથી” એમ કહી શકાય નહીં એટલે બધા ક્ષેત્રમાં ને બધા કાળમાં
સર્વજ્ઞ નથી એમ કહેતાં તું જ ત્રણ કાળ ને ત્રણ લોકનો જાણનાર થઇ ગયો એટલે
સર્વજ્ઞની સિદ્ધિ થઇ ગઇ.
નથી. જેમ “અમુક જગ્યાએ ઘડો નથી” એમ ક્યારે કહેવાય? કે જ્યારે તે ક્ષેત્ર જોયું
હોય ત્યારે; તેમ “સર્વજ્ઞ નથી” એમ ક્યારે તું કહી શકે? કે તેં બધુ ક્ષેત્ર જોયું હોય તો.
એટલે તેમાં સર્વજ્ઞ સિદ્ધ થઇ જાય છે. પોતે જે ક્ષેત્ર જોયું ન હોય તે ક્ષેત્રમાં “અહીં ઘટ
નથી” અથવા અહીં સર્વજ્ઞ નથી” એમ નિષેધ કરી શકાય નહિ.
વિશ્વાસ કરાય નહિ.
નહિ. તેમજ