: ૨૦ : આત્મધર્મ : ભાદરવો :
છે. જ્ઞાન અંતર્મુખ થઈને પોતે પોતાના સ્વભાવને સંચેતે–અનુભવે છે. આવી
જ્ઞાનચેતના છે. આવી જ્ઞાનચેતનાનો કણિયો જાગ્યો તે કેવળજ્ઞાન પમાડે છે.
* જ્ઞાનીનું કર્તાકર્મપણું પોતાના જ્ઞાનમાં જ સમાય છે, તેમાં બીજાની અપેક્ષા નથી.
જ્ઞાનને પોતાના કર્તાકર્મમાં જેમ પરની તો અપેક્ષા નથી તેમ વિકારની પણ અપેક્ષા
નથી. અજ્ઞાની વિકારના કર્તાકર્મમાં અટક્યો છે, તે જ્ઞાનનું ખરૂં કાર્ય નથી. ભાઈ,
તારા જ્ઞાનનું કર્તૃત્વ એવું નથી કે એ બીજા કોઈનું કાર્ય કરવાની અપેક્ષા રાખે.
જ્ઞાનનું કર્તૃત્વ એવું નિરપેક્ષ છે કે તે પોતામાં જ શમાય છે; એ જ રીતે ભોક્તાપણું
પણ પોતામાં જ સમાય છે. અહા, આવું નિરપેક્ષ સ્વતત્ત્વ લક્ષમાં લ્યે તો કેટલી
સ્વાધીનતા! કેટલી નિરાકૂળતા! કેટલી શાંતિ! ને કેટલી વીતરાગતા!! નિરપેક્ષ
સ્વતત્ત્વને જીવે કદી લક્ષમાં લીધું નથી ને બહારની જ અપેક્ષા રાખીને પરાશ્રયમાં
રખડી રહ્યો છે. એકવાર નિરપેક્ષ સ્વતત્ત્વને લક્ષમાં લ્યે તો અપૂર્વ શ્રદ્ધા–જ્ઞાન–
આનંદ પ્રગટે.
* જગતના પદાર્થો પોતપોતાના કર્તા છે; પરની અવસ્થાનો કર્તા પર, ને મારી
અવસ્થાનો કર્તા હું; પરની અવસ્થા મારું કાર્ય નહિ, ને મારી અવસ્થા પરનું કાર્ય
નહિ; પરની સાથે મારે કર્તાકર્મપણાનો સંબંધ જરાપણ નથી હું તો જ્ઞાન છું ને જ્ઞાન
જ મારું કાર્ય છે. આવા નિર્ણયમાં સ્વસન્મુખપરિણતિ થાય–તેનું નામ ધર્મ છે. એ
સ્વસન્મુખપરિણતિમાં અનંત ગુણોના નિર્મળ કાર્ય થાય છે, તેનો જ ધર્મી કર્તા છે.
* અહા, સત્ તત્ત્વના નિર્ણયમાં કેટલું જોર છે–તેની સામાન્ય લોકોને ખબર નથી. એક
સત્ તત્ત્વના નિર્ણયમાં નવે તત્ત્વોનો નિર્ણય સમાયેલો છે; અરિહંતોનો ને સિદ્ધોના
સ્વરૂપનો નિર્ણય પણ સ્વતત્ત્વના નિર્ણયમાં સમાય છે. સ્વતત્ત્વને એટલે કે
જ્ઞાયકતત્ત્વને ભૂલીને એકેય તત્ત્વનો નિર્ણય થઈ શકતો નથી.
* જે પરિણતિ સ્વતત્ત્વનો નિર્ણય કરીને અંતરમાં વળી તે પરિણતિમાં પોતાના આનંદ
વગેરેનું વેદન છે, પણ વિકારનું વેદન તે પરિણતિમાં નથી. જ્યાં વિકારનાય વેદનનું
કર્તૃત્વ નથી ત્યાં પરનું કર્તૃત્વ તો ક્યાં રહ્યું? શુદ્ધઉપાદાન પોતાના શુદ્ધ કાર્યને જ
કરે છે અહા, નિજરસથી શુદ્ધ પરિણમેલું જ્ઞાન રાગાદિનું અકર્તા છે, ને કર્મબંધનું
પણ નિમિત્તકર્તા તે નથી. આવું વિશુદ્ધ જ્ઞાન મોક્ષને સાધે છે.
* ચૈતન્યમાંથી ચૈતન્યની જ સ્ફૂરણા થાય છે; ચૈતન્યમાંથી વિકારની સ્ફૂરણા થતી
નથી. જેમ સૂર્યમાંથી પ્રકાશ જ નીકળે છે, સૂર્યમાંથી અંધારૂં નથી નીકળતું, તેમ
ચૈતન્યસૂર્યમાંથી જ્ઞાનપ્રકાશ જ નીકળે છે, ચૈતન્યસૂર્યમાંથી વિકારરૂપ અંધકાર નથી
નીકળતો. પણ એવા