કહેવાય છે. પરિણામ કહો, કાર્ય કહો, પર્યાય કહો કે કર્મ કહો, –તે વસ્તુના
પરિણામ જ છે.
કાંઈ જ્ઞાનનું કાર્ય નથી; પણ ‘આ રાગ છે, આ દેહ છે’ એમ તેને જાણનારું જે
જ્ઞાન છે તે આત્માનું કાર્ય છે. આત્માના પરિણામ તે આત્માનું કર્મ છે ને
જડના પરિણામ એટલે જડની અવસ્થા તે જડનું કાર્ય છે;– આ રીતે એક બોલ
કહ્યો.
થાય છે તે જ્ઞાન કાર્ય છે–કર્મ છે. તે કોનું કાર્ય છે? તે કાંઈ શબ્દોનું કાર્ય નથી
પણ પરિણામી વસ્તુ–જે આત્મા તેનું જ તે કાર્ય છે. પરિણામી વગર પરિણામ
હોય નહિ. આત્મા પરિણામી છે–તેના વગર જ્ઞાનપરિણામ ન હોય–એ સિદ્ધાંત
છે; પણ વાણી વગર જ્ઞાન ન થાય એ વાત સાચી નથી. શબ્દ વગર જ્ઞાન ન
હોય એમ નહિ, પણ આત્મા વગર જ્ઞાન ન હોય. આ રીતે પરિણામીના
આશ્રયે જ જ્ઞાનાદિ પરિણામ છે.
પરિણામી, તેના આશ્રયે જ જ્ઞાન થાય છે; તે જ્ઞાનપરિણામ આત્માના છે,
વાણીના નહિ. વાણીના રજકણોના આશ્રયે તે જ્ઞાનપરિણામ નથી થતાં, પણ
જ્ઞાનસ્વભાવી આત્મવસ્તુના આશ્રયે તે પરિણામ થાય છે. આત્માવસ્તુ
ત્રિકાળ ટકનાર પરિણામી છે તે પોતે રૂપાંતર થઈને નવી નવી અવસ્થાપણે
પલટે છે, તેના જ્ઞાન–આનંદ વગેરે જે વર્તમાન ભાવો છે તે તેના પરિણામ છે.