Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 53

background image
: ૧૪ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
પ્રભો! પરની આશા રાખી દુઃખી થયો, તું પરને સહારે અંધ બન્યો,
અંધ એવો બન્યો શું કહું? જાણનારને જોઈ ના શક્્યો;
પ્રભો! સ્વ ભણી નજરું તો માંડ, તને નહીં શોભે પર ઘર.....હવે
(૭)
પ્રભો! ચિરકાલથી પરમાં વાસા કીધા, હવે નિજઘરમાં આવી કર તું વાસ્તા,
નિજને નિજ, પરને પર જાણ, તને નહીં શોભે પર–ઘર.
એકવાર ચૈતન્ય મંથન કર, તને નહીં ગમે પર ઘર....હવે
(૮)
પરથી ભિન્ન જાણવાની ન દરકાર કીધી, વસ્તુમાં વસવાની વાત ન લક્ષમાં લીધી;
અનંત ગુણ વસ્તુને સ્વઘર જાણ, તને નહીં શોભે પર ઘર;
ધીરો થઈ, ધીર! સ્વરૂપ વિચાર, તને નહીં ગમે પર ઘર....હવે
(૯)
પ્રભો! અનંતકાળે નરભવ મળ્‌યો, ભવના અભાવ માટે અવસર મળ્‌યો,
એમ સમજી આવ નિજ ઘર, તને નહીં શોભે પર ઘર;
ભવનો અંત એકવાર તું લાવ, ‘ચેતન’ શોભે નહીં પર ઘર;
મને આનંદ આવે નિજઘર, હવે નહીં ગમે પર ઘર....હવે
(૧૦)
* * * * * * * *
ક્્યાંય ન ગમે તો...
હે જીવ! તને ક્યાંય ન ગમતું હોય
તો બધેથી તારો ઉપયોગ પલટાવી
નાંખ.....ને આત્મામાં ગમાડ! આત્મામાં
આનંદ ભર્યો છે એટલે ત્યાં જરૂર
ગમશે....માટે આત્મામાં ગમાડ. આત્માર્થીને
જગતમાં ક્યાંય ગમે તેવું નથી પણ એક
આત્મામાં જરૂર ગમે તેવું છે, માટે તું
આત્મામાં ગમાડ.
(રત્નગ્રહમાંથી)