Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
: ૩૨ : આત્મધર્મ : અષાઢ : ૨૪૯૨
ઘાટકોપર (મુંબઈ) માં પ્રભુ પધાર્યા
ઘાટકોપર–મુમુક્ષુમંડળ તરફથી શુભ સમાચાર છે કે તા. ૧૨–૬–૬૬ ના રોજ
ત્યાંના સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો મહોત્સવ આનંદપૂર્વક ઉજવાયો હતો. તે પ્રસંગે
સવારમાં શાંતિનાથ ભગવાનની સ્વાગત–યાત્રા શરૂ થઈ હતી ને દિગંબર જિનમંદિરે
(મધુકુંજ, નવરોજ ક્રોસ લેન) આવી હતી. રાજકોટના શ્રી પ્રમોદભાઈ દલપતરામના
સુહસ્તે પ્રભુજીને વેદી ઉપર બિરાજમાન કર્યા હતા. ત્યારબાદ સ્વાધ્યાયમંદિરનું ઉદ્ઘાટન,
તથા જિનવાણીની સ્થાપના વગેરે વિધિ ભાઈશ્રી મણિલાલ જેઠાલાલ શેઠ તથા
પ્રાણલાલ. ભાઈચંદ દેસાઈના સુહસ્તે થઈ હતી. ઘાટકોપરના અગ્રગણ્ય નાગરીકો તેમજ
મુંબઈ મુમુક્ષુમંડળના ઘણા ભાઈઓ આ વખતે ઉપસ્થિત હતા ને આ પ્રસંગે ૧૮, ૦૦૦
(અઢાર હજાર) રૂા. નું ફંડ થયું હતું. જિનેન્દ્રભગવાનની પધરામણી થતાં ઘાટકોપરના
મુમુક્ષુ ભાઈ–બહેનોને ઘણો હર્ષોલ્લાસ થયો હતો. જિનેન્દ્રદેવની મંગલ છાયામાં ધર્મવૃદ્ધિ
થાય એવી ભાવના સાથે ઘાટકોપર મુમુક્ષુમંડળને વધાઈ!
માટુંગાની વૈરાગ્યપ્રેરક ઘટના!
તાજેતરમાં (તા. ૧૩–૬–૬૬ ની સવારમાં) મુંબઈ–માટુંગા પાસે જે અતિ કરુણ
રેલ્વે અકસ્માત બની ગયો ને જેણે ૬૦ જેટલા મનુષ્યોનું જીવન તત્કાળ છીનવી લીધું
એ ઘટના અત્યંત વૈરાગ્યપ્રેરક છે....અરે અનિત્યતા!! સવારે ઘેરથી નીકળેલો માનવી
સાંજે પાછો જીવતો ઘરે પહોંચશે કે નહિ તે પણ જેમાં નક્કી નથી–એવો આ ક્ષણભંગુર
સંસાર.....તેમાં તારા જીવનનો એવો ઉત્તમ સદુપયોગ કર કે જેથી જીવનની ક્ષણે ક્ષણ
સફળ થાય. જીવનની એક પળનેય વ્યર્થમાં ન ગુમાવ.... એકેક પળને મહા કિંમતી જાણ
ને આત્મહિત માટે તેનો ઉપયોગ કર. પરિભ્રમણના પંથેથી પાછો વળીને સિદ્ધિના પંથે
પ્રયાણ કર.
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું? તે તો કહો;
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો!
વધવાપણું સંસારનું નરદેહને હારી જવો;
એનો વિચાર નહીં અહોહો, એક પળ તમને હૂવો.