Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 53

background image
: અષાડ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
વાર્ષિક વીર સં. ૨૪૯૨
લવાજમ અષાડ
રૂા ૪
________________________________________________________________
તંત્રી: જગજીવન બાવચંદ દોશી: કુંડલા સંપાદક: બ્ર હરિલાલ જૈન: સોનગઢ.
________________________________________________________________
વિચાર
પ્રશ્ન:– આત્માના વિચાર કેવી રીતે કરવા? (આ
પ્રકારનો પ્રશ્ન ઘણા જિજ્ઞાસુઓને ઊઠે છે.)
ઉત્તર:– સંતોની પાસેથી આત્માનું સ્વરૂપ જે રીતે
સાંભળ્‌યું ને શાસ્ત્રોમાં વાંચ્યું તે લક્ષગત કરીને તે સ્વરૂપનો
અનેક પ્રકારે પરમ મહિમા લાવીને, “આવો હું જ છું” એમ
નિર્ભેદભાવે પોતાનું સ્વરૂપ ચિંતવવું. વિચાર તો હજારો
પ્રકારના હોય, ગમે તે પ્રકારના વિચારમાં મુમુક્ષુનું વલણ
સ્વભાવની સન્મુખતા થાય એવું જ હોય. ગમે તે પડખાના
વિચારવડે પણ પરથી ભિન્ન, ને પોતાના જ્ઞાનાદિ પરમ
સ્વભાવમાં એકત્વ–એવા સ્વરૂપને નક્કી કરી કરીને, તેની
પરમ પ્રીતિ વધારી વધારીને, પરિણામને તે સ્વભાવ તરફ
વાળે, એટલે સ્વાનુભવ થાય. આ રીતે મુમુક્ષુના વિચાર
સ્વાનુભવ તરફ ઝુકતા હોય છે. એટલે, ‘કેવા વિચાર કરવા’–
તો કહે છે કે સ્વાનુભવ તરફ ઝૂકાવ થાય તેવા વિચાર કરવા.
સત્ વિચારનું ફળ સ્વાનુભવ છે. (‘વિચાર’ માં એકલો
રાગ–વિકલ્પ નથી પણ તે વખતે વસ્તુને લક્ષમાં લેનારું જ્ઞાન
પણ કાર્ય કરે છે, ને મુમુક્ષુને તે જ્ઞાનની જ પ્રધાનતા છે,
વિકલ્પની નહીં)