Atmadharma magazine - Ank 273a
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 58

background image
: પ્ર. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧પ :
ત્યાર બાદ, સુખપૂર્વક બિરાજતા તે બંને મુનિવરો પ્રત્યે વિનયપૂર્વક વજ્રજંઘે આ
પ્રમાણે પૂછયું: હે ભગવન્! આપ ક્્યાં વસનારા છો? આપ ક્્યાંથી અહીં પધાર્યા છો?
આપના આગમનનું કારણ શું છે? તે કૃપા કરીને કહો. હે પ્રભો! આપને જોતાં જ મારા
હૃદયમાં સૌહાર્દભાવ ઉમટી રહ્યો છે અને મારું ચિત્ત અતિશય પ્રસન્ન થઈ રહ્યું છે, અને
મને એમ લાગે છે કે જાણે આપ મારા પૂર્વપરિચિત બંધુ હો! પ્રભો! આ બધાનું શું
કારણ છે તે અનુગ્રહ કરીને મને કહો.
એ પ્રમાણે વજ્રજંઘનો પ્રશ્ન પૂરો થતાં જ મોટા મુનિરાજ તેને આ પ્રમાણે ઉત્તર
દેવા લાગ્યા: હે આર્ય! તું મને એ સ્વયંબુદ્ધમંત્રીનો જીવ જાણ, કે જેના વડે તું
મહાબલના ભવમાં પવિત્ર જૈનધર્મનો પ્રતિબોધ પામ્યો હતો. તે ભવમાં તારા મરણ
બાદ મેં જિનદીક્ષા ધારણ કરી હતી અને સન્યાસપૂર્વક શરીર છોડીને સૌધર્મસ્વર્ગનો
દેવ થયો હતો; ત્યારબાદ આ પૃથ્વીલોકમાં વિદેહક્ષેત્રની પુંડરીકિણી નગરીમાં
પ્રીતિકર નામનો રાજપુત્ર થયો છું અને આ (બીજા મુનિ) પ્રીતિદેવ મારા નાનાભાઈ
છે. અમે બંને ભાઈઓએ સ્વયંપ્રભજિનેન્દ્રની સમીપ દીક્ષા લઈને પવિત્ર
તપોબળથી અવધિજ્ઞાન તથા આકાશગામિની ચારણઋદ્ધિ પ્રાપ્ત કરી છે. હે આર્ય! અમે
બંનેએ અવધિજ્ઞાનરૂપી નેત્રથી જાણ્યું કે તમે અહીં ભોગભૂમિમાં ઉત્પન્ન થયા છો;
પૂર્વ ભવે આપ અમારા પરમમિત્ર હતા તેથી આપને પ્રતિબોધવા માટે અમે અહીં
આવ્યા છીએ.
શ્રી મુનિરાજ પરમ કરુણાથી કહે છે–હે ભવ્ય! તું પવિત્ર સમ્યગ્દર્શન વગર કેવળ
[અહા, મુનિરાજના શ્રીમુખેથી પરમ અનુગ્રહભર્યા આ વચનો સાંભળતાં
વજ્રજંઘનો આત્મા કેવો પ્રસન્ન થયો હશે! ]