ચૈતન્યરસનું ઘોલન કરે છે....ને જ્યારે પ્રવચનમાં મધુરી
હલકપૂર્વક તેનું વિવેચન કરે છે ત્યારે ચૈતન્યના
અમૃતરસમાં તરબોળ બનીને શ્રોતાજનો ડોલી ઊઠે છે,
અહીં તેની થોડીક ઝલક આપી છે.
નિર્મળતા એક સાથે પ્રગટે છે. ચેતનમય આત્માની અનુભૂતિમાં સર્વે ગુણોની અનુભૂતિ
આવી જાય છે. એક પર્યાયમાં બધા ગુણોનો સ્વાદ ભેગો છે. એકેક ગુણની ગણતરીથી
આત્માના અનંતગુણને પકડવા માંગે તો અનંતકાળેય તે પકડાય નહિ; અનંતગુણથી
અભેદ આત્મામાં ઉપયોગ મુકતાં અનંતગુણો સ્ફૂટ–પ્રગટ અનુભવાય છે. ભાઈ, આવા
આત્માના અનુભવની હોંશ ને ઉત્સાહ કર. વિકલ્પની રાગની કે બહારની હોંશ કરતાં
તારા અનંતગુણના પિંડનો અનાદર થાય છે. અરે, અનંત ગુણ તારામાં ભર્યા છે, જેનુ
ગ્રહણ વિકલ્પ વડે થઈ ન શકે. માટે નિશ્ચલ થઈને,