Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 57

background image
: ૧૨ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
ગૃહસ્થપણું દાનથી જ શોભે છે

ધર્મની પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના
પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય કે અહો, આવા
ઉત્તમ કાર્ય માટે જેટલું ધન વપરાય તેટલું સફળ છે. જે ધન પોતાના હિત
માટે કામ ન આવે ને પાપબંધનું જ કારણ થાય–એ ધન શા કામનું? એવા
ધનથી ધનવાનપણું કોણ કહે? સાચો ધનવાન તો એ છે કે ઉદારતાપૂર્વક
ધર્મકાર્યમાં પોતાની લક્ષ્મી વાપરે છે.(શ્રાવકધર્મ ઉપરના પ્રવચનમાંથી)
મનુષ્યોનું ગૃહસ્થપણું દાન વડે જ ગુણકારી છે, તથા દાનવડે જ આલોક તથા
પરલોક બંનેનો ઉદ્યોત થાય છે; દાન વગરનું ગૃહસ્થપણું તો બંને લોકનો ધ્વંસ કરનારું
છે ગૃહસ્થને સેંકડો પ્રકારના દુર્વ્યાપારથી જે પાપ થાય છે તેનો નાશ દાન વડે જ થાય
છે, ને દાન વડે ચંદ્રસમાન ઉજ્વળ યશ પ્રાપ્ત થાય છે. આ રીતે પાપનો નાશ ને યશની
પ્રાપ્તિ માટે ગૃહસ્થને સત્પાત્રદાન સમાન બીજું કાંઈ નથી. માટે પોતાનું હિત ચાહનારા
ગૃહસ્થોએ દાન વડે જ ગૃહસ્થપણું સફળ કરવું જોઈએ.
દેવ–ગુરુ–શાસ્ત્ર તરફના ઉલ્લાસથી સંસાર તરફનો ઉલ્લાસ ઘટાડે છે ત્યાં
દાનાદિનો શુભભાવ આવે છે, એટલે ગૃહસ્થે પાપ ઘટાડીને શુભભાવ કરવો–એવો
ઉપદેશ છે. તું શુભભાવ કર એવો ઉપદેશ વ્યવહારમાં હોય છે. પરમાર્થમાં તો રાગનુંય
કર્તૃત્વ આત્માના સ્વભાવમાં નથી. રાગના કણિયાનુંય કર્તૃત્વ માને કે તેનાથી મોક્ષમાર્ગ
માને તો મિથ્યાદ્રષ્ટિ છે. એમ શુદ્ધદ્રષ્ટિના વર્ણનમાં આવે; એવી દ્રષ્ટિપૂર્વક રાગની ઘણી
મંદતા ધર્મીને હોય છે. રાગ વગરનો સ્વભાવ દ્રષ્ટિમાં લ્યે ને રાગ ઘટે નહિ એમ કેમ
બને? અહીં કહે છે કે જેને દાનાદિના શુભભાવનુંય ઠેકાણું નથી એકલા પાપભાવમાં જે
પડ્યા છે તેની તો આ લોકમાંય શોભા નથી ને પરલોકમાંય તેને સારી ગતિ મળતી
નથી. પાપથી બચવા માટે પાત્રદાન જ ઉત્તમ માર્ગ છે. મુનિવરોને તો પરિગ્રહ જ નથી,
એમને તો અશુભ પરિણતિ છેદાઈ ગઈ છે ને ઘણી આત્મરમણતા વર્તે છે, એમની તો
શી વાત? અહીં તો ગૃહસ્થને માટે ઉપદેશ છે. જેમાં અનેક પ્રકારના પાપના પ્રસંગ છે
એવા ગૃહસ્થપણામાં પાપથી બચવા પૂજા–દાન–સ્વાધ્યાય વગેરે કર્તવ્ય છે.
તીવ્રલોભીપ્રાણીને સંબોધીને કાર્તિકસ્વામી તો કહે છે કે અરે જીવ! આ લક્ષ્મી ચંચળ છે,
એની મમતા તું છોડ, તું તીવ્ર લોભથી બીજા માટે