Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧૭ :
ચૈતન્યની ગિરિગૂફા જ શરણરૂપ છે. લૌકિકમાં પણ સિંહ વગેરેના ભયથી બચવા
ગૂફાનું શરણ લ્યે છે. જુઓ, સતી અંજના ઉપર કલંક આવ્યું ને જંગલમાં ગઈ ત્યારે
ચાલતાં ચાલતાં થાકી જાય છે, ત્યારે તેની વસંત સખી તેને કહે છે કે હે દેવી! બહારમાં
હિંસકપશુઓનો ભય છે માટે નજીકમાં ગૂફા છે–તેનું શરણ લે. આમ વિચારી જ્યાં
‘નજીકની’ ગૂફામાં પ્રવેશ કરે છે ત્યાં તો ધ્યાનમાં બેઠેલા એક મુનિ દીઠા. મુનિને દેખતાં
જ અંજનાના આનંદનો પાર ન રહ્યો. અહો! આવા જંગલમાં મહામુનિના દર્શન થયા....
જાણે પિતા મળ્‌યા.....ને જગતના દુઃખ ભૂલાઈ ગયા. તેમ સંસારના દુઃખથી થાકેલા
જીવને બાહ્યવૃત્તિમાં તો રાગ–દ્વેષ ને કષાયોની આકુળતા છે, ભય છે; જ્ઞાની કહે છે કે હે
ભવ્ય! તું અંતર્મુખ થા.....ને તારી ચૈતન્યગૂફામાં શરણ લે; એ ચૈતન્યગૂફા દૂર નથી પણ
નજીક જ છે. પછી જ્યાં ધ્યાનવડે અંતરની ચૈતન્યગૂફામાં પ્રવેશ કર્યો ત્યાં તો મહા
આનંદરૂપ ચૈતન્યભગવાનના દર્શન થયા.....
ચાર અક્ષરનું મારું નામ હું એક મહાપુરુષ તીર્થંકર ભગવાનને શોધી કાઢો.
હાસ્યમાં એનો એક ભાગ છે પણ શોકમાં નથી. મંદારગિરિ
આ ચાર
નગરીમાં રહેલા એક
તીર્થંકરને શોધી
કાઢો.
(–કમલેશ જૈન. નં. ૧પ૨)
શ્રાવણ માસના મંગલ દિવસો
સુદ ૨ સુમતિનાથ–ગર્ભકલ્યાણક............ (વિનિતાનગરી)
સુદ ૭ (મોક્ષસપ્તમી) પાર્શ્વનાથ–મોક્ષકલ્યાણક..... (સમ્મેદશિખર)
સુદ ૧પ શ્રેયાંસનાથ–મોક્ષકલ્યાણક............. (સમ્મેદશિખર)
સુદ ૧પ (રક્ષાપૂર્વ) અંકપનાદિ ૭૦૦ મુનિની રક્ષા..... (હસ્તિનાપુર)
વદ ૨
વાસુપૂજ્ય–કેવળજ્ઞાન વગેરે......... (ચંપાપુર–મંદારગિરિ)
વદ ૭ શાંતિનાથ–ગર્ભકલ્યાણક................. (હસ્તિનાપુર)