Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૧ :
वंदित्तु सव्वसिद्धे–સમયસારનું અપૂર્વ મંગળ









સિદ્ધભગવંતોને નમસ્કાર તે સાધકભાવ છે; એવા સાધકભાવના પરમ
મંગળપૂર્વક આ સમયસાર શરૂ થાય છે. સમયસારમાં કહેલો જે શુદ્ધ જ્ઞાયકભાવ, તેના
ઘોલન વડે આત્માની પરિણતિ પરમ શુદ્ધ થશે ને મોહનો ક્ષય થશે. શ્રોતાકોં ભી સાથમેં
રખકર આશીર્વાદ દિયા કિ ‘
समयसार के घोलनसे तेरा मोहका नाश हो जायगा
ओर तूं सिद्ध बन जायगा।’
अथ’ શબ્દ નવીનતા–અપૂર્વતા સૂચવે છે: અનાદિથી જે ન હતો એવો અપૂર્વ
આરાધકભાવ પ્રગટ કરીને હું મારા આત્મામાં સર્વે સિદ્ધ ભગવન્તોને સ્થાપું છું. વિભાવથી
જુદો ને સિદ્ધની સ્થાપનારૂપ આ આરાધકભાવ તે સમયસારનું અપૂર્વ મંગળ છે.
સિદ્ધોની ભાવસ્તુતિ સ્વસન્મુખતા વડે થાય છે. આ ભાવસ્તુતિમાં આત્મા પોતે
જ આરાધ્ય–આરાધક છે. સિદ્ધની આ ભાવસ્તુતિમાં રત્નત્રય સમાય છે.
હું સિદ્ધને વંદન કરું છું, સિદ્ધની સ્તુતિ કરું છું, એટલે સિદ્ધસમાન શુદ્ધસ્વરૂપને
સાધ્યરૂપે સ્વીકારું છું; સિદ્ધમાં ને મારી પર્યાયમાં જે ભેદ હોય તેને શુદ્ધદ્રષ્ટિના બળે કાઢી
નાંખું છું, ને સિદ્ધ જેવા શુદ્ધસ્વરૂપે મારા આત્માને ધ્યાવું છું. આ રીતે સિદ્ધસમાન પોતાના
આત્માના ચિન્તનથી ભવ્ય જીવ પોતે સિદ્ધ થઈ જાય છે. જેણે પોતાના આત્મામાં સિદ્ધને
વસાવ્યા તે સિદ્ધપદનો સાધક થયો. વીર થઈને તે વીરના માર્ગે ચાલ્યો.