ઉત્સાહી સભ્ય નં. પ૯૮
(રવીન્દ્ર જૈન–મોરબી) એ
વ્યક્ત કરેલી સુંદર ભાવના.
ભગવાન ઋષભદેવના છેલ્લા દશ અવતારની કથામાં ‘ભોગભૂમિમાં
નયનોમાંથી હર્ષના આંસુ નીકળી નીકળીને મુનિરાજના ચરણ ઉપર પડવા લાગ્યા’ એ
પ્રસંગ હૃદયના તાર ઝણઝણાવી મૂકે તેવો છે!
પ્રતિબોધવા માટે સાક્ષાત્ મુનિ પોતે વિદેહક્ષે્રત્રમાંથી ભોગભૂમિમાં પધારે છે. પૂર્વભવના
મિત્રને સમ્યક્ દર્શનના દાન દેવા દૂર દૂરના દેશાવરથી મુનિરાજ આવે છે! ‘મારો મિત્ર
ક્યાં છે? શું તેની સ્થિતિ છે?’ અવધિજ્ઞાનથી એ જાણીને, તથા મારો પૂર્વભવનો મિત્ર
પોતે આવે છે અને કહે છે ‘અમે તને સમ્યક્ત્વ પમાડવા માટે આવ્યા છીએ’ એ વાત
ઊંડું વિચારતાં હૃદયને વિરહની યાદ સાથે કોઈ નવી વાત કહી જાય છે.
આપણા મુનિરાજ ત્યાં પધાર્યા હતા, તો હવે કોઈક વિદેહક્ષેત્રનાં મુનિરાજ અહીં
ભરતક્ષેત્રે પધારો ને!
મોક્ષમાર્ગની કેડીએ આગળ વધી જાય તે, બીજા બાલસભ્યોને અવશ્ય મદદ કરે.
પ્રીતિંકર મુનિરાજે તેના મિત્ર વજ્રજંઘને (સમ્યક્દર્શન પમાડવામાં) મદદ કરી હતી તેમ
જિનવરના સંતાનો એવા આપણે સૌએ મોક્ષનગરીમાં જતાં જતાં સાથે રહીને
એકબીજાને સહાય કરવી છે. કોઈ મિત્ર સંસારમાં ન રહી જવો જોઈએ.