Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૪ :
સ્વરૂપને લક્ષગત કરીને ચિન્તવે તે જીવ ભગવાનનો નજીકનો ભક્ત છે.
* સભ્ય નં. ૭૦૩ પૂછે છે –નિર્વિકલ્પ સમાધિમાં શુભાશુભ ભાવ હોતા નથી પણ શુદ્ધ
ભાવ હોય છે; તો તે વખતે કયા પ્રકારના વિચારો થતા હશે તે સમજાતું નથી. હારની
ખરીદીનું દ્રષ્ટાંત સમજાય છે પણ આત્મસ્વભાવનું બરાબર સમજાતું નથી કે કેવા પ્રકારનું
સુખ હશે!
પ્રશ્ન બહુ સારો છે; પં. ટોડરમલ્લજી કહે છે કે ધન્ય છે તેને કે જે સ્વાનુભવની ચર્ચા પણ
કરે છે! હવે સ્વાનુભવ વખતના વેદનની આ વાત અનુભવી જ્ઞાની પાસેથી સાક્ષાત્ સાંભળીને
વારંવાર અંતરમાં તેનું ઊંડુ મંથન કરીએ ત્યારે જ ખરેખર લક્ષગત થાય છે. નિર્વિકલ્પ અનુભૂતિ
વખતે વિચારો હોતા નથી, તે વખતે તો પરમઆનંદના વેદનમાં જ ઉપયોગ થંભી ગયો છે. એ
વખતનું વચનઅગોચર સુખ તો તે જ જાણે. તે દશા પ્રાપ્ત કરવા વારંવાર સત્સમાગમે, અત્યંત
ઉગ્ર આત્માર્થિતા વડે, અંદરમાં ભેદજ્ઞાનનો ઘણો ઘણો અભ્યાસ કરીને, ઉપયોગને સ્વભાવમાં
જોડવાનો ઉદ્યમ કરવો;–એ જ અનુભવના સુખને સમજવાનો ઉપાય છે. (હારનું દ્રષ્ટાંત તો
બહારનું સ્થૂળ ઉદાહરણ છે.)
રાવણે સીતાજીનું હરણ કર્યું હતું; છતાં ભવિષ્યમાં રાવણનો આત્મા જ્યારે તીર્થંકર થશે
ત્યારે સીતાજીનો આત્મા તેનો ગણધર થશે; એ બાબતમાં સભ્ય નં. ૭૦૬ સ્પષ્ટતા પૂછે છે.
જીવોના પરિણામની એવી વિચિત્રતા છે. વળી આ ઉદાહરણ તો એમ બતાવે છે કે અશુભ
પરિણામ જીવે કર્યા તે પલટીને તે શુભ અને શુધ્ધ પરિણામ કરી શકે છે. એક વખતનો પાપી જીવ
પણ આત્માની આરાધના વડે ત્રણ લોકનો નાથ પરમાત્મા થઈ શકે છે.
* પ્રશ્ન:– જ્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય ત્યારે નિર્વિકલ્પદશામાં કેટલો સમય સુધી
રહે? ત્યાર પછી પાછા કેટલા કાળે તે સાધક નિર્વિકલ્પદશામાં આવે! (એક સભ્ય)
ઉત્તર:– સમ્યક્ત્વ પ્રગટ થતી વખતના નિર્વિકલ્પ અનુભવનો કાળ બધા જીવોને
સરખો નથી હોતો; છતાં સામાન્યપણે ઘણું નાનું અંતર્મુહૂર્ત હોય છે. વિશેષ લાંબો કાળ નથી
હોતો.–જો કે તેમાંય અસંખ્યાત સમય તો ખરા જ. અને ફરીને નિર્વિકલ્પતા અમુક કાળે થાય
છે. પરંતુ તેનું કોઈ ચોક્કસ માપ મલતું નથી.
* દક્ષિણ પ્રાન્તનું बाहुबली (કોલ્હાપુર)–કે જે જિનવાણી–સ્વાધ્યાયના પ્રચાર માટે
‘દક્ષિણ દેશના સોનગઢ’ જેવું ગણાય છે, ત્યાંના આગેવાન ભાઈશ્રી બાલચંદ ખેમચંદ શાહ
લખે છે કે” –
आपने गुजराती मासिकका सम्पादकपद अलंकृत करके और उस
मासिकमें बालविभाग [अमे जिनवरना सन्तान] खोलकर जैन–जैनेतर बालकों पर
बहुत अनुग्रह किया है; तथा भगवान ऋषभदेव तीर्थंकर प्रभुके दश अवतारोंकी कथा
आदिपुराणके आधार पर, सम्यक्त्वोत्पत्ति के साधन बने इस प्रकार भावर्ण लिखकर
जैनसमाजके तरुण तथा वृद्धजनोंपर