: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૪૫ :
बडा उपकार किया है। आगे इसी प्रकारकी सेवा आपके द्वारा वृद्धिगत होती रहे यह
हम अंतःकरणपूर्वक भाव कर रहे है।”
* સ. નં. ૬૧૮ (ઘાટકોપર) તથા બીજા અનેક સભ્યો લખે છે કે “આત્મધર્મનો
બાલ વિભાગ ખૂબ ગમે છે ને વાંચવાની બહુ મજા આવે છે”–બહેન! તમને એકલાને નહિ
પણ દોઢ હજાર બાળકોને (અને તેમના વડીલોને પણ) મજા આવે છે. કુંદકુંદ પ્રભુનું
જીવનચરિત્ર અને નવીન કથાના પુસ્તકો યોગ્ય સમયે જરૂર આપીશું. માંગીતુંગી પહાડ
ઉપરથી ૯૯ કરોડ મુનિવરો મોક્ષ પામ્યા છે,–તે બધાય એક સાથે નહિ પણ આ આખી
ચોવીસીમાં એટલા મુનિવરો ત્યાંથી મોક્ષ પામ્યા છે એમ સમજવું. એક સાથે તો ૧૦૮ થી વધુ
જીવો કદી મોક્ષ પામતા નથી. જેમકે ગીરનાર ઉપરથી બૌતેર કરોડ ને સાતસો (૭૨
૦૦૦૦૭૦૦) મુનિ મોક્ષ પામવાનું કથન છે, તે બધા કાંઈ નેમિનાથ ભગવાનની સાથે જ
મોક્ષમાં નથી ગયા, પણ આ ચોવીસીના અસંખ્યાતા વર્ષમાં ગમે ત્યારે એકંદરે એટલા
મુનિવરો ત્યાંથી મોક્ષ પામ્યા. એમ દરેક તીર્થંમાં મોક્ષગામી જીવોની સંખ્યા બાબતમાં સમજી
લેવું.
* બેંગલોરથી સ. નં. ૭પ૪ લખે છે કે–मेरा साथी आत्मधर्म है। ज्येष्ठ मासके
अंकको देखते ही समझमें आया कि समुद्र तो विशाल है, जिसकी कोई हद नहीं। मैं
अपनी जबानसे व कलमसे अंककी तारीफलिखनेमें असमर्थ हूं। स्कूल की पढाइ खत्म
होते ही मैं आत्मधर्म को पढता रहता हूं। मेरा साथी दिनभर मुझे घेरे रहते है कि
अबके अंक में जो नयी बात आई हो सो बताओं।
* દાહોદમાં દસેક વર્ષની એક બાલિકા આ ભવમાં ગીતા વગેરેનો અભ્યાસ કર્યા વગર તેના
ઉપર ધોધમાર પ્રવચન આપે છે. આ સંબંધમાં દાહોદથી સભ્ય નં. ૪૦૭ શૈલેશકુમાર લખે છે કે
અજ્ઞાની બાળા હોવા છતાં કઈ રીતે આ પ્રકારનું પ્રવચન આપતી હશે?
ભાઈશ્રી, એ કાંઈ આશ્ચર્યની વાત નથી. પૂર્વભવના તે પ્રકારના સંસ્કાર રહી જાય એટલે
એમ બને. દરેક જીવને પૂર્વભવના અમુક સંસ્કારો રહી જાય છે; આપણા સોનગઢમાં પણ પાંચ
વર્ષની રાજુલને અઢી વર્ષની ઉંમરે પોતાના પૂર્વભવનું જ્ઞાન થયાની વાત તમે જાણતા હશો.
જીવની જ્ઞાનશક્તિ અપાર છે એટલે પૂર્વભવના જ્ઞાનનો કેટલોક ઉઘાડ કોઈને (અજ્ઞાનીને પણ)
વર્તમાનમાં ચાલુ રહે તે કાંઈ આર્શ્ચયની વાત નથી. આવા પ્રસંગો તો આત્માનો પૂર્વભવ, તેની
નિત્યતા અને દેહની ભિન્નતા સાબિત કરે છે.
* બાલવિભાગ પ્રત્યે લાગણી ધરાવનાર એક ભાઈનો અમદાવાદથી પત્ર છે; તેમાં
જૈનસમાજના સુધરેલા ગણાતા યુવાનોમાં આજે આચરણ સંબંધી તીવ્ર અભક્ષનું ભક્ષણ
વગેરે પ્રવૃત્તિ નજરે પડે છે તેના પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે, અને તે સંબંધી આત્મધર્મમાં
દોરવણી આપવા લખ્યું છે. ભાઈશ્રી, આ સંબંધમાં જણાવવાનું કે–આપે જે પ્રકારની
અભક્ષ્યપ્રવૃત્તિ લખી છે તેવી અભક્ષ્યની પ્રવૃત્તિ આપણા તો બાલવિભાગના કે આત્મધર્મના
એક પણ સભ્યમાં