Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 53 of 57

background image
: ૫૦ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
જ્ઞાન અને રાગ એક જ સમયે હોવા છતાં
જ્ઞાન મોક્ષનું કારણ છે; રાગ બંધનું જ કારણ છે
એક જીવને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને એક સાથે હોઈ શકે?
હા, કોઈ સાધકને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને સાથે હોય છે; પરંતુ બંને સાથે હોવા
છતાં બંનેની જાત જુદી છે; કાળ એક હોવા છતાં ભાવમાં બંનેની જુદાઈ છે, જ્ઞાન તો
મોક્ષનું કારણ છે ને રાગ તો બંધનું કારણ છે,–એમ તે જ કાળે બંનેની અત્યંત જુદાઈ છે.
કોઈ એમ માને કે જ્ઞાનીનો જે શુભરાગ છે તે તો બંધનું કારણ નહીં હોય,–તો તે
જીવ ભ્રમણામાં છે, અજ્ઞાનીનો રાગ તે જેમ બંધનું કારણ છે તેમ જ્ઞાનીને પણ જે
શુભરાગ છે તે બંધનું જ કારણ છે. રાગ બંધનું કારણ હોવામાં મિથ્યાદ્રષ્ટિ કે
સમ્યગ્દ્રષ્ટિનો કોઈ તફાવત નથી, અર્થાત્ રાગ સમ્યગ્દ્રષ્ટિને હો કે મિથ્યાદ્રષ્ટિને હો, જે
કોઈ જીવને જેટલો રાગ છે તે બંધનું જ કારણ છે, મોક્ષનું નહીં. જ્ઞાનીને જે જ્ઞાનભાવ છે
તે મોક્ષનું કારણ છે. જ્ઞાનીને પણ જ્ઞાન ને રાગ એ બંને કાંઈ મોક્ષનું કારણ નથી, તેને
પણ મોક્ષનું કારણ તો એક જ્ઞાન જ છે, ને રાગ તો બંધનું જ કારણ છે, એ નિયમ છે.
એટલું ખરું કે અજ્ઞાની કરતાં જ્ઞાનીનો રાગ અનંતો અલ્પ છે, તેથી તેને બંધન પણ
અનંતુ ઓછું છે, ને નિર્જરા ઘણી છે, તે નિર્જરા શુદ્ધજ્ઞાનના બળે થાય છે. આથી
શુદ્ધજ્ઞાન છે તે પૂજ્ય છે, આદરણીય છે; અને શુભરાગાદિ જે અશુદ્ધ ભાવો છે તે હેય છે,
કેમકે તે બંધનના કારણ છે.