હા, કોઈ સાધકને સમ્યગ્જ્ઞાન અને રાગ બંને સાથે હોય છે; પરંતુ બંને સાથે હોવા
મોક્ષનું કારણ છે ને રાગ તો બંધનું કારણ છે,–એમ તે જ કાળે બંનેની અત્યંત જુદાઈ છે.
સમ્યગ્દ્રષ્ટિનો કોઈ તફાવત નથી, અર્થાત્ રાગ સમ્યગ્દ્રષ્ટિને હો કે મિથ્યાદ્રષ્ટિને હો, જે
કોઈ જીવને જેટલો રાગ છે તે બંધનું જ કારણ છે, મોક્ષનું નહીં. જ્ઞાનીને જે જ્ઞાનભાવ છે
તે મોક્ષનું કારણ છે. જ્ઞાનીને પણ જ્ઞાન ને રાગ એ બંને કાંઈ મોક્ષનું કારણ નથી, તેને
પણ મોક્ષનું કારણ તો એક જ્ઞાન જ છે, ને રાગ તો બંધનું જ કારણ છે, એ નિયમ છે.
એટલું ખરું કે અજ્ઞાની કરતાં જ્ઞાનીનો રાગ અનંતો અલ્પ છે, તેથી તેને બંધન પણ
અનંતુ ઓછું છે, ને નિર્જરા ઘણી છે, તે નિર્જરા શુદ્ધજ્ઞાનના બળે થાય છે. આથી
શુદ્ધજ્ઞાન છે તે પૂજ્ય છે, આદરણીય છે; અને શુભરાગાદિ જે અશુદ્ધ ભાવો છે તે હેય છે,