: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫૧ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ કાર્યવાહક કમિટિની મીટીંગ
શ્રી. દિ. જૈન મુમુક્ષુ મહામંડળની કાર્યવાહક કમિટિની મીટીંગ સોનગઢ મુકામે સં.
૨૦૨૨ના ભાદરવા સુદી બીજ ને શુક્રવાર તા. ૧૬–૯–૬૬ ના રોજ સવારે સાડાનવ
વાગે મળશે તો દરેક સભ્યોને હાજર રહેવા ખાસ નમ્ર વિનંતિ છે.
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળની સામાન્ય સભા
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની વાર્ષિક સભા સોનગઢ મુકામે સં.
૨૦૨૨ના ભાદરવા સુદી બીજ ને શુક્રવાર તા. ૧૬–૯–૬૬ રોજ સાંજે સાડાચાર વાગે
મળશે, તો દરેક ગામના મંડળના પ્રતિનિધિઓ તથા સોનગઢના સ્થાનિક મુમુક્ષુ
ભાઈઓને હાજર રહેવા ખાસ નમ્ર વિનંતિ છે.
“શ્રી જૈન અતિથિ સેવા સમિતિ સોનગઢ” (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત સંસ્થાની જનરલ વાર્ષિક સભા સંવત ૨૦૨૨ ના ભાદરવા સુદી ૧ ને
ગુરુવાર તા. ૧પ–૯–૬૬ ના રોજ સોનગઢ મુકામે (પ્રવચન મંડપમાં) સવારે સવાનવ
વાગે રાખવામાં આવેલ છે. તો તે પ્રસંગે સર્વે સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
–શાહ મલુકચંદ છોટાલાલ.
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઉપરોક્ત બોર્ડિંગની વ્યવસ્થાપક કમિટિની એક અગત્યની સભા સં. ૨૦૨૨ ના
ભાદરવા સુદ ૧ ને ગુરુવાર તા. ૧પ–૯–૬૬ ના રોજ સાંજના સવા ચાર વાગે મળશે;
તથા જનરલ વાર્ષિક સભા ભાદરવા સુદ ૩ ને શનીવાર તા. ૧૭–૯–૬૬ ના રોજ
સાંજના સવા ચાર વાગે સોનગઢમાં (પ્રવચન મંડપમાં) રાખવામાં આવી છે. તો તે
પ્રસંગે સર્વ સભ્યોને હાજર રહેવા વિનંતી છે. –નેમિદાસ ખુશાલ.
લવાજમ ઘટે છે
આપણી સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખશ્રી અને આત્મધર્મના માનનીય તંત્રી
મુરબ્બી શ્રી રામજીભાઈએ આત્મધર્મના તંત્રી અને સંપાદકપણે અઢાર વર્ષ સુધી
રહીને જે સેવાઓ કરી છે તથા આત્મધર્મને વિકસાવવા પ્રયત્ન કર્યો છે તેની ખાસ
યાદગીરી તરીકે, ‘સન્માન–ફંડ’ માંથી આત્મધર્મ–માસિકના લવાજમમાં એક
રૂપિયો ઘટાડીને તેનું લવાજમ ત્રણ રૂપિયા રાખવાનું (હાલ એક વર્ષ માટે)
પ્રમુખશ્રીની સલાહ અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. આત્મધર્મનું વર્ષ કારતકથી
આસો સુધી ગણવામાં આવે છે. સભ્યોને પોતાનું લવાજમ જેમ બને તેમ વેલાસર
મોકલી આપવા વિનંતી છે. –સંપાદક
લવાજમ મોકલવાનું સરનામું :
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)