Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 57

background image
: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૩ :
વક્તા અને શ્રોતાના આત્મામાં સિદ્ધભગવંતોને ઉતારીને
સમયસારનું અપૂર્વ માંગળિક
માંગળિકમાં સિદ્ધભગવંતોનો આદર કરીને આચાર્યદેવ નમસ્કાર કરે છે:–
वंदित्तु सव्व सिद्धे धु्रवमचलमणोवमं गइं पत्ते।
वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं।।
ધ્રુ્રવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને
વંદી કહું શ્રુતકેવળી–કથિત આ સમયપ્રાભૃત અહો! ૧
અહો, સમયપ્રાભૃતની શરૂઆત કરતાં સર્વે સિદ્ધભગવંતોને આત્મામાં ઊતારીને
આચાર્યદેવ અપૂર્વ મંગલાચરણ કરે છે. ને શ્રોતાઓને પણ સાથે રાખે છે. આત્મામાં
સાધકસ્વભાવની શરૂઆત થાય તે અપૂર્વ મંગળ છે. આત્માનું પરમધ્યેય એવું જે
સિદ્ધપદ, તેને સાધવાનો જે ભાવ પ્રગટ્યો એટલે સિદ્ધસન્મુખ જવાનું શરૂ કર્યું–તે જ
માંગલિક છે.







અત્યાર સુધી અનંતા સિદ્ધભગવંતો થયા તે સર્વને ભાવસ્તુતિ તથા દ્રવ્યસ્તુતિ
વડે પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમયસાર શરૂ કરું છું.
ભાવસ્તુતિ એટલે અંતુર્મુખ નિર્વિકલ્પ શાંતરસનું પરિણમન: અને દ્રવ્યસ્તુતિ એટલે
સિદ્ધોના બહુમાનનો વિકલ્પ તથા વાણી; એમ બંને પ્રકારે સ્તુતિ કરીને, મારા તેમ જ
શ્રોતાજનોના આત્મામાં અનંતા સિધ્ધભગવંતોને સ્થાપું છું. મારો આત્મા કેવડો? કે
અનંતા સિધ્ધોને પોતામાં સમાવી દે તેવડો. આત્મામાં જ્યાં સિધ્ધોને સ્થાપ્યા ત્યાં હવે