Atmadharma magazine - Ank 274
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 57

background image
: ૪ : આત્મધર્મ : દ્વિ. શ્રાવણ : ૨૪૯૨
તેમાં રાગ રહી શકે નહિ. જ્યાં સિધ્ધોનો આદર કર્યો ત્યાં રાગનો આદર રહે નહિ:
એટલે સિદ્ધને પોતામાં સ્થાપતાં જ રાગ સાથેની એકત્વબુદ્ધિ તૂટી ગઈ. પંચમકાળનો
સાધક આત્મા પોતાના સિદ્ધપદ માટે પ્રસ્થાનું મૂકે છે. હે સિદ્ધભગવંતો! સિદ્ધપદને
સાધવા હું ઉપડ્યો છું. ત્યાં શરૂઆતમાં જ મારા આત્મામાં આપને સ્થાપું છું. અને
ના
ન પાડશો. અમારો શ્રોતા એવો જ હોય કે જે પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપીને
સાંભળે છે. એકલા રાગમાં ઊભો રહીને નથી સાંભળતો, પણ પહેલે ધડાકે સિદ્ધપદના
ભણકાર લેતો આવે છે. “હું સિધ્ધ....તું સિધ્ધ” એમ શ્રવણ કરતાં જ આત્મા અંદરથી
હકાર કરતો આવે છે.
આ સમયસાર ભરતક્ષેત્રનું અલૌકિક અમૃતરસથી ભરેલું શાસ્ત્ર છે.
માંગળિકમાં જ સિદ્ધપદ સ્થાપીને સાધકપણાની અપૂર્વ શરૂઆત કરાવે છે.
અહા, ચૈતન્ય સાથે સંબંધ જોડતાં નિર્મળ સાધકભાવની સંતતિ શરૂ થાય છે.
સિધ્ધપદના પૂર્ણ ધ્યેયે સાધક ઉપડ્યો ત્યાં તેનો પુરુષાર્થ પણ એવો છે. અહો, અનંત
પરમાત્માઓ! અમારા ચૈતન્યમાં એટલો અવકાશ છે કે અનંતા સિદ્ધપરમાત્મા સર્વજ્ઞોને
પોતામાં સ્થાપીએ છીએ.
અનાદિથી અત્યાર સુધી અનંતા સિદ્ધો થયા, તેને પ્રતીતમાં લઈને, તેમજ તેના
માર્ગને પ્રતીતમાં લઈને ચૈતન્યની સન્મુખતા વડે પોતે પણ તેની નાતમાં ભળે છે. હે
સિધ્ધભગવંતો! હવે હું આપની નાતમાં આવું છું; સંસારથી–રાગથી જુદા પડીને
સિધ્ધની–શુદ્ધાત્માની નાતમાં ભળું છું.
મારા અને શ્રોતાના બંનેના આત્મામાં હું સિધ્ધોને સ્થાપું છું એમ કહીને
આચાર્યદેવે શરૂઆતથી જ શ્રોતાને ભેગો ઉપાડીને વાત કરી છે.
આ રીતે સર્વસિધ્ધોને આત્મામાં સ્થાપીને આ સમયસારનું ભાવવચનથી
(શ્રુતજ્ઞાનથી) અને દ્રવ્યવચનરૂપ વાણીથી પરિભાષણ કરીએ છીએ. જેવી શરૂઆત કરી
તેવી પૂર્ણતા થઈ છે–અલૌકિક રચના છે. અહા, ભરતક્ષેત્રમાં જન્મીને દેહસહિત જેમણે
વિદેહક્ષેત્રના તીર્થંકરના સાક્ષાત્ દર્શન કર્યા તેમની પાત્રતા અને પુણ્યની શી વાત!!
સિદ્ધભગવંતોને ઓળખીને, અને પોતાના આત્મામાં તેવી તાકાત છે એને
ઓળખીને, એ રીતે બંનેને ઓળખીને સિદ્ધને પોતામાં સ્થાપ્યા છે. સાધ્ય જે શુદ્ધાત્મા
તેના પ્રતિછંદના સ્થાને સિદ્ધભગવંતો છે, તેથી તે ધ્યેયરૂપ છે તે સિદ્ધભગવંતનું સ્વરૂપ
ચિંતવીને અને તેમની સમાન પોતાના સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને સંસારી જીવો પણ
તેમના જેવા સિદ્ધ થઈ જાય છે. જેણે અંતરમાં સિદ્ધને સ્થાપ્યા તે સિદ્ધનો વારસ થયો, તે
સિદ્ધનો સાધક