: દ્વિ. શ્રાવણ : ૨૪૯૨ આત્મધર્મ : ૫ :
થયો; જેવા સિદ્ધપરમાત્મા છે તેવો જ હું છું, એમ સ્વભાવની મુખ્યતા કરીને રાગને
ગૌણ કરી નાખ્યો, એમાં પરમ આસ્થા થઈ, તે સિદ્ધસમાન પોતાના શુદ્ધાત્માને ધ્યાવીને
જીવ સિદ્ધ થઈ જાય છે. જેમ બાળક માતાને ધાવીધાવીને પુષ્ટ થાય છે, તેમ સાધક જીવો
સિદ્ધસમાન પોતાના શુદ્ધ સ્વરૂપને ધ્યાવીધ્યાવીને સિદ્ધપદને સાધે છે.
સંસારની ચારે ગતિથી વિલક્ષણ એવી જે પંચમગતિ તેને શુદ્ધસ્વરૂપના ધ્યાન વડે
આ સમયસારના વક્તા અને શ્રોતા ચોક્કસ પામે છે, તેમાં શંકાને સ્થાન નથી. આવા
ઉત્તમ ભાવપૂર્વક સિદ્ધભગવંતોને આત્મામાં પધરાવીને આ સમયસાર શરૂ કર્યું છે.
સિદ્ધગતિ સ્વભાવરૂપ છે, સંસારની ચારે ગતિ તો પરભાવથી ઉત્પન્ન થયેલી છે,
કર્મના નિમિત્તથી થયેલો જે વિભાવ, તેનાથી થયેલી દેવાદિ ચારે ગતિ અધુ્રવ છે; ને આ
પંચમગતિ તો સ્વભાવભાવરૂપ હોવાથી ધુ્રવ છે, તેમાં હવે વિનાશીકતા નથી, એ
સાદિઅનંત એવીને એવી ટકી રહેશે. ચારે વિભાવગતિઓને અને તેના કારણરૂપ
વિભાવભાવોને મારા આત્મામાંથી કાઢી નાખીને આવા સિદ્ધભગવંતોને સ્થાપ્યા છે,
એટલે હવે પરિણતિનો પ્રવાહ વિભાવમાંથી પાછો વળીને સ્વભાવ તરફ વળ્યો છે,
વ્યવહાર અને નિમિત્તનું ઉપાદેયપણું કાઢી નાખીને એકલા સ્વભાવનું જ ઉપાદેયપણું
દ્રષ્ટિમાં લીધું છે. જુઓ આ સિદ્ધપદના સાધકનું માંગળિક! “પુત્રનાં લક્ષણ
પારણામાંથી જણાય” તેમ સિદ્ધપદને સાધવા જે ઊભો થયો તેના આવા લક્ષણ
શરૂઆતમાં જ હોય છે.”
“કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ”
આત્માના સ્વભાવ સિવાય બીજું કોઈ (રાગ કે વિકલ્પ) તેનું માહાત્મ્ય લઈ
જાય એમ નથી; તેના અંતરમાં એક શુદ્ધ આત્માનું જ માહાત્મ્ય વસ્યું છે. એનાથી
અધિક જગતમાં બીજી કોઈ વસ્તુનું માહાત્મ્ય તેને આવી જાય–એમ બનતું નથી.
“સિદ્ધ–સિદ્ધ” નાં ભણકાર કરતો જાગ્યો તે બીજે ક્યાંય રાગાદિમાં અટકતો નથી.
જુઓ, આ સિદ્ધપદ માટે સાધકના મહા માંગળિક!
કેવળી અને શ્રુતકેવળી ભગવંતોએ કહેલ આ સમયપ્રાભૃતને હું મારા અને
પરના મોહના નાશ માટે કહીશ. સિધ્ધસમાન આત્માને ધ્યેયરૂપે રાખીને આ શરૂ કર્યું છે
માટે ધ્યેયને ચૂકશો નહીં. આચાર્યદેવને પોતાને તો મિથ્યાત્વાદિ મોહનો નાશ થયો છે,
પણ હજી જરાક સંજ્વલન કષાય બાકી છે તેનો નાશ કરવા માટે આ સમયસારનું
પરિભાષણ કરે છે, અને શ્રોતામાં જેને જે પ્રકારનો મોહ હોય તેના નાશને માટે આ
શ્રવણ કરજો....એટલે વક્તા અને શ્રોતામાં જેને જે પ્રકારે મોહ હોય તેના નાશને માટે
આ સમયસાર શરૂ કરવામાં આવે છે. આ સમયસાર સમજે તેના મોહનો નાશ થઈ
જશે–ને તે સિદ્ધપદને પામશે એમ આચાર્યદેવના કોલકરાર છે.