Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
તેમની આત્મિક–આરાધનાની પવિત્ર કથા
ભગવત્ જિનસેનસ્વામી રચિત મહાપુરાણના આધારે: લે બ્ર. હરિલાલ જૈન
ભગવાનની તપશ્ચર્યા અને પ્રથમ આહારદાન
ફાગણ વદ નોમના રોજ ભગવાન ઋષભદેવે કેશલુંચન કરીને મુનિદશા ધારણ
કરી, ને આત્મધ્યાનમાં લીન થયા. ભગવાનના પવિત્ર કેશને રત્નપટારીમાં ભરીને ઈન્દ્રે
વિચાર્યું કે ‘આ કેશ ધન્ય છે કે ભગવાનના મસ્તકના સ્પર્શથી જે પવિત્ર થયા છે, અને
એ ક્ષીરસમુદ્ર પણ ધન્ય છે કે જેને આ કેશની ભેટ મળશે.’ –એમ વિચારીને, સ્વભાવથી
જ પવિત્ર એવા ક્ષીરસમુદ્રમાં અત્યંત આદરપૂર્વક તે કેશનું ક્ષેપણ કર્યું. મલિન ગણાતા
એવા વાળ પણ ભગવાનના આશ્રયે પૂજ્ય બન્યા, કેમકે મહાપુરુષોનો આશ્રય પામીને
મલિનપુરુષ પણ પવિત્ર થઈને પૂજ્ય બની જાય છે.
ભગવાનની સાથે બીજા ચાર હજાર રાજાઓએ પણ દિગંબરદશા દશા ધારણ
કરી; જોકે ભગવાનના અંતરંગ અભિપ્રાયને તેઓ જાણતા ન હતા પણ, ‘અમારા
સ્વામીને જે ગમ્યું તે અમને પણ ગમ્યું’ –એમ સ્વામીભક્તિથી પ્રેરાઈને તેઓ દ્રવ્યલિંગી
સાધુ થયા. સ્વામીને અનુસરવું એ જ સેવકોનું કામ છે–એમ વિચારીને, તે રાજાઓએ
મૂઢતાસહિત માત્ર દ્રવ્યઅપેક્ષાએ નિર્ગન્થપણું ધારણ કર્યું હતું, ભાવઅપેક્ષાએ નહી. એમ
કરીને મોટા મોટા વંશમાં ઉત્પન્ન થયેલા તે રાજાઓએ ભગવાન પ્રત્યે પોતાની ઉત્કૃષ્ટ
ભક્તિ પ્રગટ કરી હતી. જેમને સંયમ પ્રગટ્યો નથી એવા તે ૪૦૦૦ દ્રવ્યલિંગી
મુનિઓના ઘેરા વચ્ચે ભાવલિંગી ભગવાન, નાનકડા ઝાડવાના ઝુંડ વચ્ચે વિશાળ
કલ્પવૃક્ષની માફક શોભતા હતા.
એ વખતે તપના અતિશયથી ભગવાનનું અનુપમ રૂપ એવું શોભતું હતું કે
હજારહજાર નેત્રથી તે રૂપને નીરખવા છતાં ઈન્દ્રને તૃપ્તિ થતી ન હતી. દેવોએ અત્યંત
ભક્તિપૂર્વક ભગવાનની પૂજા–સ્તુતિ કરી: હે પ્રભો! અમે અલ્પજ્ઞ, આપના અગણિત
ગુણોની સ્તુતિ કઈ રીતે કરી શકીએ? આપની સ્તુતિના બહાને અમે તો અમારા આત્માની
ઉન્નતિ કરીએ છીએ. પ્રભો! જિનવાણીસમાન અને ગંગાનદી સમાન પવિત્ર આપની