તે અમને સદા પવિત્ર કરો. આપની આ દીક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નોથી
અલંકૃત છે. પ્રભો! ભવ–તન–ભોગરૂપ સંસારને સ્વપ્નસમાન જાણીને આપે છોડ્યો છે
ને અવિનાશી મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે. પ્રભો, આપનામાં રાગ ન હોવા છતાં મોક્ષમાં
જાણીને આપે છોડવા જેવી વસ્તુઓને છોડી દીધી ને ઉપાદેય વસ્તુઓના ગ્રહણ માટે
ઉદ્યમી થયા, –અને છતાંય આપ સમદર્શી કહેવાઓ છો–એ પણ આશ્ચર્યની વાત છે!
આપ પરાધીન સુખ છોડીને સ્વાધીન સુખ પ્રાપ્ત કરવા માંગો છે, તથા અલ્પ વિભૂતિ
છોડીને ભારે મહાન વિભૂતિ પ્રાપ્ત કરવા ચાહો છો,–તો પછી આપ વિરક્ત અને ત્યાગી
કઈ રીતે થયા! હે ભગવાન! આપ નિર્ગ્રંથ હોવા છતાં કુશલ પુરુષો આપને જ સુખી કહે
છે. જ્ઞાનદીપક લઈને આપ મોક્ષમાર્ગે જઈ રહ્યા છો. આપના ધ્યાનરૂપી મહાન અગ્નિમાં
આઠે કર્મો ભસ્મીભૂત થઈ રહ્યા છે; આઠ કર્મના વનને છેદી નાંખવા માટે આપે
રત્નત્રયરૂપી કુહાડો ઉઠાવ્યો છે. પ્રભો! બીજે ક્્યાંય ન હોય એવી અદ્ભુત આપની આ
આપના શરણે આવેલા ભક્તજીવોના સંસારને પણ તે નષ્ટ કરે છે. –આવી ઉત્કૃષ્ટ
જ્ઞાનસમ્પત્તિને ધારણ કરનાર હે વીતરાગ! આપને નમસ્કાર હો.
આત્મધ્યાનમાં લીનઅને મોક્ષપ્રાપ્તિરૂપ કાર્યને સાધવામાં તત્પર એવા મોહવિજેતા
ભગવાન ઋષભમુનિરાજના ચરણોની અત્યંત ભાવપૂર્વક ભરતે પૂજા કરી.
જે ઘૂંટણભર થઈને વંદન કરે છે), અને જેનાં નેત્રોમાં હર્ષનાં આંસુ છે–એવા તે
ભરતે પોતાના મુગટના ઉત્કૃષ્ટમણિના કિરણો વડે ભગવાનના ચરણોનું
પ્રક્ષાલન કરતાં ઉત્કૃષ્ટ ભક્તિપૂર્વક નમીને પોતાનું મસ્તક ભગવાનના
ચરણોમાં ઝુકાવ્યું; ને મહાન ગુરુભક્તિ પ્રગટ કરી.