ઉત્કૃષ્ટ મૂર્તિ જેવા શોભતા હતા. તપના મહિમાને લીધે કોઈ અદ્રશ્ય છત્રવડે તેમના ઉપર
છાંયો થઈ ગયો હતો. ચાર જ્ઞાનવડે ભગવાને પરલોકસંબંધી ગતિ–અગતિને સંપૂર્ણ
જાણી લીધી હતી.
અસમર્થ એવા તે કલ્પિત મુનિઓ વિચાર કરવા લાગ્યા કે, અરે! હવે અમારાથી ભૂખ–
પ્યાસ સહન થતા નથી; ભગવાન તો કોણ જાણે ક્યા ઉદ્દેશથી આ પ્રમાણે ઊભા છે?
ભગવાન પોતાની રક્ષાનો વિચાર કર્યા વગર આવા ભયંકર વનમાં ઊભા છે તો
‘પોતાની રક્ષા પ્રયત્નપૂર્વક કરવી જોઈએ’ –એવી નીતિને શું ભગવાન નહીં જાણતા
હોય? ભગવાન તો પ્રાણોથી વિરક્ત થઈને આવી તપચેષ્ટા કરી રહ્યા છે, પણ અમે તો
હવે ખેદખિન્ન થઈ ગયા છીએ. તેથી ભગવાન ધ્યાન પૂરું કરે ત્યાંસુધી અમે આ વનમાં
ફળ ને કંદ–મૂળ ખાઈને જીવન ટકાવીશું. આમ તેઓ દીન થઈ ગયા; શું કરવું તે તેમને
સુઝ્યું નહિ. ‘ભગવાન અમને જરૂર કંઈક કહેશે’ એવી આશાથી તેઓ ભગવાનને
ઘેરીને ઊભા; ભગવાન તરફ દ્રષ્ટિ કરતાં તેમને થોડુંક ધૈર્ય થતું. કેટલાક તો માતા–
પિતા–સ્ત્રી–રાજપાટ વગેરેનું સ્મરણ થતાં ઘેર જવાની ઈચ્છાથી વારંવાર ભગવાનના
ચરણોમાં નમસ્કાર કરતા હતા. પણ તેમને બીક લાગતી હતી કે જો અત્યારે ભગવાનનો
સાથ છોડીને ઘરે જઈશું તો, ભગવાન જ્યારે આ કાર્ય પૂરાં કરીને રાજ્ય સંભાળશે
ત્યારે અમને અપમાન કરીને કાઢી મૂકશે; અથવા તો ભરત મહારાજા અમને કષ્ટ દેશે. –
માટે અહીં જ રહીને સહન કરવું. હવે તો આજકાલમાં જ ભગવાનનો યોગ સિદ્ધ થશે
એટલે કષ્ટ સહન કરનારા અમને ઘણી ધન–સમ્પદા આપીને સંતુષ્ટ કરશે. નિર્બળ
થયેલા તે મુનિઓ જમીન પર પડ્યા પડ્યા પણ ભગવાનના ચરણનું સ્મરણ કરતા
હતા. કેટલાક લોકો ભગવાનને પૂછીને, અને કેટલાક પૂછ્યા વગર માત્ર પ્રદક્ષિણા દઈને,
પ્રાણરક્ષા માટે વનમાં અન્યત્ર ચાલ્યા ગયા હતા, ને વ્રત છોડીને જેમતેમ વર્તવા લાગ્યા
હતા.