આશ્ચર્યકારક તપવડે ઈન્દ્રાસન પણ કંપી ઊઠ્યું હતું.
લાગ્યા કે હે ભગવાન! આપે બધાને રાજ્ય વહેંચી આપ્યું; પણ અમને તો કાંઈ ન
આપ્યું; અમને ભૂલી ગયા; માટે અમને કાંઈક ભોગ–સામગ્રી આપો. અમારા ઉપર
પ્રસન્ન થાઓ...આમ વારંવાર ભગવાનના પગ પકડીને પ્રાર્થના કરવા લાગ્યા ને તેમના
ધ્યાનમાં વિઘ્ન કરવા લાગ્યા.
નમિ–વિનમિકુમારોને સમજાવ્યા કે અરે કુમારો! આ ભગવાન તો ભોગોથી અત્યંત
નિસ્પૃહ છે, ને તમે તેમની પાસેથી ભોગોની યાચના કેમ કરી રહ્યા છો? તમારે
ભોગસામગ્રી જોઈએ તો રાજા ભરત પાસે જઈને માંગો ને! ભગવાન તો બધું છોડીને
મોક્ષનો ઉદ્યમ કરી રહ્યા છે તમને ભોગ–સામગ્રી ક્યાંથી દેશે? –માટે તમે ભરત પાસે
જાઓ.
તેજસ્વીને બુદ્ધિમાન છો, આપ કોઈ ભદ્રપરિણામી મહાપુરુષ લાગો છો, છતાં અમારા
કાર્યમાં કેમ વચ્ચે આવો છો–તે અમે જાણતા નથી. અમે તો ભગવાનને જ પ્રસન્ન કરવા
માંગીએ છીએ. ભગવાન ભલે વનમાં રહ્યા, તેથી શું તેમની પ્રભુતા મટી ગઈ?
ભગવાનને છોડીને ભરત પાસે જવાનું આપ કહો છો તે ઠીક નથી. મહાસમુદ્રને છોડીને
ખાબોચિયા પાસે કોણ જાય? ભરતમાં અને ભગવાન ઋષભદેવમાં મોટું અંતર છે તે શું
તમે નથી જાણતા?
ભગવાનનો સેવક છું. ભગવાને મને આજ્ઞા કરી છે કે ‘આ કુમારો મહાન ભક્ત છે માટે
તેમને તેમની ઈચ્છા પ્રમાણે રાજસામગ્રી આપો.’ –માટે હે કુમારો! ચાલો, હું ભગવાને
બતાવેલી રાજસંપદા તમને આપું.