ચાલ્યા. ધરણેન્દ્ર તેમને પોતાના વિમાનમાં બેસાડીને વિજયાર્દ્ધ પર્વત પર લઈ ગયા.
પદ્મસરોવરમાંથી નીકળેલી ગંગા અને સિન્ધુ નદી આ પર્વતની નીચે થઈને વહે છે.
પર્વત ઉપર નવ શિખરો જિનમંદિરથી શોભી રહ્યા છે. અહીં રોગ કે દુષ્કાળ વગેરે બાધા
હોતી નથી. આ મહા ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ ચોથા કાળ જેવી હોય છે,
(આર્યખંડની માફક છ પ્રકારે કાળપરિવર્તન અહીં થતું નથી.) જઘન્યઆયુ ૧૦૦ વર્ષનું
હોય છે. અહીંના વિદ્યાધર મનુષ્યોને મહાવિદ્યાઓ વડે ઈચ્છિત ફળ મળે છે. અનાજ
વાવ્યા વગર ઊગે છે; નદીઓની રેતી રત્નમય છે. ઉત્તર શ્રેણીમાં ૬૦ નગર છે ને દક્ષિણ
શ્રેણીમાં પ૦ નગર છે. વિદ્યુતપ્રભ, શ્રીહર્મ્ય, શત્રુંજય, ગગનનન્દન, અશોકા, અલકા,
પુંડરીક, શ્રીપ્રભ, શ્રીધર, રથનૂપુર–ચક્રવાલ, સંજયન્તી, વિજયા, ક્ષેમંકર, સૂર્યાભ, વગેરે
દક્ષિણ શ્રેણીની પ૦ નગરીઓ છે; તેમાં રથનૂપુર રાજધાની છે. દરેક નગરીમાં એક હજાર
મોટા ચોક ને ૧૨૦૦૦ ગલી છે, રત્નોના તોરણથી શોભતા એક હજાર દરવાજા છે. દરેક
નગરીના પેટામાં એકેક કરોડ ગામ છે. ત્યાં રહેનારા વિદ્યાધરો દેવ જેવા સુખી છે. આ
પર્વત પર કરોડો સિંહ, મૃગ ને ચમરી ગાયો રહે છે; ચારણઋદ્ધિધારી મુનિઓ પણ અહીં
વિચરે છે.
દક્ષિણ શ્રેણીનું અને વિનમિને ઉત્તર શ્રેણીનું રાજ્ય સોંપ્યું; તથા ત્યાંના વિદ્યાધરોને
ભલામણ કરી કે ભગવાન ઋષભદેવે આ બંનેને અહીં મોકલ્યા છે, તે તમારા સ્વામી છે,
સ્થાને ચાલ્યા ગયા.
લાગ્યા. યથાર્થમાં તો મનુષ્યનું પુણ્ય જ તેને સુખ–સામગ્રી મેળવી આપે છે. જગતગુરુ
ભગવાન