Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 41

background image
: ૩૦ : આત્મધર્મ : ચૈત્ર : ૨૪૯૩
ધરણેન્દ્રની એ વાત સાંભળી બંને કુમારો પ્રસન્ન થયા, તેમને લાગ્યું કે ખરેખર
ગુરુદેવ અમારા પર પ્રસન્ન થયા છે. ભગવાનને નમસ્કાર કરીને તેઓ ધરણેન્દ્ર સાથે
ચાલ્યા. ધરણેન્દ્ર તેમને પોતાના વિમાનમાં બેસાડીને વિજયાર્દ્ધ પર્વત પર લઈ ગયા.
આ વિજયાર્દ્ધ પર્વત ભરતક્ષેત્રની વચ્ચે આવેલો છે ને તેના પૂર્વ–પશ્ચિય છેડા
લવણસમુદ્રને સ્પર્શે છે. આ શાશ્વતપર્વતની શોભા અદ્ભુત છે; હિમવન પર્વતના
પદ્મસરોવરમાંથી નીકળેલી ગંગા અને સિન્ધુ નદી આ પર્વતની નીચે થઈને વહે છે.
પર્વત ઉપર નવ શિખરો જિનમંદિરથી શોભી રહ્યા છે. અહીં રોગ કે દુષ્કાળ વગેરે બાધા
હોતી નથી. આ મહા ભરતક્ષેત્રમાં મનુષ્યોની સ્થિતિ ચોથા કાળ જેવી હોય છે,
(આર્યખંડની માફક છ પ્રકારે કાળપરિવર્તન અહીં થતું નથી.) જઘન્યઆયુ ૧૦૦ વર્ષનું
હોય છે. અહીંના વિદ્યાધર મનુષ્યોને મહાવિદ્યાઓ વડે ઈચ્છિત ફળ મળે છે. અનાજ
વાવ્યા વગર ઊગે છે; નદીઓની રેતી રત્નમય છે. ઉત્તર શ્રેણીમાં ૬૦ નગર છે ને દક્ષિણ
શ્રેણીમાં પ૦ નગર છે. વિદ્યુતપ્રભ, શ્રીહર્મ્ય, શત્રુંજય, ગગનનન્દન, અશોકા, અલકા,
કુંદનગર, ગંધર્વપુર, ગિરિશિખર, મહેન્દ્રપુર, વગેરે ઉત્તર શ્રેણીની ૬૦ નગરીઓ છે, તથા
પુંડરીક, શ્રીપ્રભ, શ્રીધર, રથનૂપુર–ચક્રવાલ, સંજયન્તી, વિજયા, ક્ષેમંકર, સૂર્યાભ, વગેરે
દક્ષિણ શ્રેણીની પ૦ નગરીઓ છે; તેમાં રથનૂપુર રાજધાની છે. દરેક નગરીમાં એક હજાર
મોટા ચોક ને ૧૨૦૦૦ ગલી છે, રત્નોના તોરણથી શોભતા એક હજાર દરવાજા છે. દરેક
નગરીના પેટામાં એકેક કરોડ ગામ છે. ત્યાં રહેનારા વિદ્યાધરો દેવ જેવા સુખી છે. આ
પર્વત પર કરોડો સિંહ, મૃગ ને ચમરી ગાયો રહે છે; ચારણઋદ્ધિધારી મુનિઓ પણ અહીં
વિચરે છે.
આવા વિજયાર્દ્ધ પર્વતને દેખીને નમિ અને વિનમિ બંને રાજકુમારો ખુશી થયા.
રથનૂપુર–ચક્રવાલ નગરીમાં પ્રવેશ કરીને ધરણેન્દ્રે તે બંનેનો રાજ્યાભિષેક કર્યો; નમિને
દક્ષિણ શ્રેણીનું અને વિનમિને ઉત્તર શ્રેણીનું રાજ્ય સોંપ્યું; તથા ત્યાંના વિદ્યાધરોને
ભલામણ કરી કે ભગવાન ઋષભદેવે આ બંનેને અહીં મોકલ્યા છે, તે તમારા સ્વામી છે,
માટે તેમની આજ્ઞા માનવી. પછી બંને રાજકુમારોને વિદ્યા આપીને ધરણેન્દ્ર પોતાના
સ્થાને ચાલ્યા ગયા.
જોકે આ બંને કુમારો જન્મથી વિદ્યાધર ન હતા પણ પુણ્યયોગે વિદ્યાધરોના
દેશમાં જઈને તેમણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી; તથા વિદ્યાધરો તેમની સેવા કરવા
લાગ્યા. યથાર્થમાં તો મનુષ્યનું પુણ્ય જ તેને સુખ–સામગ્રી મેળવી આપે છે. જગતગુરુ
ભગવાન