Atmadharma magazine - Ank 282
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 41

background image
: ચૈત્ર : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
પરમ શાંતિ દાતારી
(અંક ૨૮૧ થી ચાલુ) (લેખાંક૪૮)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત સમાધિશતક ઉપર પૂજ્યશ્રી
કાનજીસ્વામીનાંઅધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
અંતરાત્માએ દેહથી ભિન્ન આત્માની કેવી ભાવના કરવી તે હવે કહે છે–
तथैव भावयेद्रेहाद्व्यावृत्यात्मानमात्मनि ।
यथा न पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत्।। ८२ ।।
આત્મામાં અંતર્મુખ થઈને દેહથી ભિન્ન આત્માને એવો ભાવવો કે જેથી ફરીને
દેહની સાથે સ્વપ્ને પણ આત્માનો સંબંધ ન થાય. ધર્મી પોતાના આત્માને દેહાદિથી
ભિન્ન એવો ભાવે છે કે તેને સ્વપ્નાં પણ એવા જ આવે, સ્વપ્નામાં પણ દેહ સાથે
એકતા ન ભાસે. હું દેહથી જુદો ચૈતન્યબિંબ થઈને અનંત સિદ્ધ ભગવંતોની વચ્ચે બેઠો
છું–એવા સ્વપ્નાં ધર્મીને આવે. વાણીથી કે વિકલ્પથી ભાવના કરવાની આ વાત નથી,
આ તો અંતરમાં આત્મામાં એકાગ્ર થઈને ભાવના કરવાની વાત છે. દેહથી ભિન્ન કહેતાં
રાગાદિથી પણ આત્મા ભિન્ન છે, તેની ભાવના ભાવવી. સમયસારમાં આચાર્યદેવે
એકત્વ–વિભક્ત આત્માને જેવો વર્ણવ્યો છે તેની જ ભાવના કરવાની આ વાત છે. –કઈ
રીતે? કે પોતે એવા આત્માનો સ્વાનુભવ કરીને તેની ભાવના કરવી. મૂઢબુદ્ધિ જીવો
શરીરને ધર્મનું સાધન માને છે એટલે તે તો શરીરથી ભિન્ન આત્માને ક્યાંથી ભાવે?
જ્ઞાની તો જાણે છે કે મારો આત્મા દેહથી અત્યંત ભિન્ન છે, ‘આ દેહ હું છું’ એવી
એકત્વબુદ્ધિ સ્વપ્ને પણ તેને નથી, એટલે સ્વપ્ને પણ આત્માને દેહ સાથે જોડતા નથી,
આત્મામાં જ શ્રદ્ધા–જ્ઞાનનું જોડાણ કરીને તેની ભાવના કરે છે. –ભેદજ્ઞાનથી નિરંતર
આવી ભાવના કરવી તે જ મોક્ષનું કારણ છે.
।। ૮૨।।
૮૨ મી ગાથામાં એમ કહ્યું કે આત્મભાવના જ મોક્ષનું કારણ છે, વ્રતનો
શુભરાગ પણ મોક્ષનું કારણ નથી; માટે મોક્ષાર્થીએ અવ્રતની માફક વ્રતનો પણ વિકલ્પ
ત્યાજ્ય