Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 45

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
નિર્મળપર્યાયને રાગથી ભિન્નતા છે એટલે તેની સાથે કારણ–કાર્યપણાનો
સંબંધ આત્માને નથી.
(પપ) પરને કારણે તો શ્રદ્ધા વગેરે નહિ, ને શુભરાગને કારણે પણ શ્રદ્ધા વગેરે
નથી. માટે હે ભાઈ! સમ્યગ્દર્શનાદિ માટે તું તારા સ્વભાવમાં જો; અને
તારા ગુણ–પર્યાયોને રાગાદિથી ભિન્ન દેખ.
(પ૬) શ્રદ્ધાગુણમાં એવો સ્વભાવ નથી કે પોતાના કાર્યમાં રાગને કારણ બનાવે.
પોતે પોતાના સ્વભાવથી જ સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપે પરિણમે છે.
(પ૭) પહેલાં જ્ઞાનના બળથી આવા સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય
સાચો હોય તો અનુભવ સાચો થાય, ને સમ્યગ્દર્શનાદિ થાય.
(પ૮) આત્મા કેવો છે, ને કેમ પ્રગટે–તેના નિર્ણય વગર શેમાં લીન થશે? રાગને
આત્માનું સ્વરૂપ માને તો તે લીનતા પણ રાગમાં જ કરશે.–તેને વીતરાગી
ચારિત્ર કે મોક્ષમાર્ગ ક્્યાંથી થાશે?
(પ૯) જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો જેણે નિર્ણય કર્યો ને રાગાદિ પરભાવો
સાથેનો સંબંધ તોડયો તેને જ્ઞાનસ્વરૂપમાં લીનતા વડે વીતરાગી
ચારિત્ર ને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે.–આવો મોક્ષમાર્ગ ભગવાને કહ્યો
છે. આ મોક્ષમાર્ગમાં બીજું કોઈ કારણ નથી.
(૬૦) ભાઈ, આ દેહનો ને જીવનો ભરોસો શો? તારું તો જ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપ
આત્માના સ્મરણથી પણ શાંતિ મળે છે, તો તેના સાક્ષાત્ અનુભવના
આનંદની શી વાત?
(૬૧) રાગથી જે જ્ઞાન જુદું નથી પરિણમતું રાગમાં તન્મય વર્તે છે, તેને ખરેખર
જ્ઞાન કહેતા નથી, તે તો અજ્ઞાન જ છે. જ્ઞાન તો તેને કહેવાય કે રાગનું
અકર્તા થઈને રાગથી જુદું પરિણમે.
(૬૨) રાગ તો પોતે ‘અજ્ઞાનમય ભાવ’ છે, તેની સાથે એકમેક વર્તે તેને
જ્ઞાન કોણ કહે? અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરી ત્યારે
જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમ્યું, ને આસ્રવોથી છૂટયું.–આવું ભેદજ્ઞાન તે
બંધથી છૂટવાનું ને મોક્ષની પ્રાપ્તિનું સાધન છે.