Atmadharma magazine - Ank 285
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 45

background image
: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
આત્મામાંથી આત્માવડે જ સ્વયંભૂ સર્વજ્ઞપણે પ્રગટ થયા છો ને આપનો મહિમા
અચિંત્ય છે, તેથી આપને નમસ્કાર હો.
ભગવાનની સ્તુતિ કરતાં સૌધર્મઈન્દ્ર કહે છે કે હે નાથ! આપના ગુણો અનંત
છે; એ અનંતગુણોનું સ્તવન તો દૂર રહો, પરંતુ આપનાં ૧૦૦૮ લક્ષણો અતિશય પ્રસિદ્ધ
છે, તેથી હું આપનાં એક હજાર આઠ મંગલ નામોદ્વારા આપની સ્તુતિ કરું છું. આમ
કહીને ઈન્દ્રે ‘
श्रीमान्’ થી શરૂ કરીને ‘धर्मसाम्राज्यनायक’ સુધીનાં ૧૦૦૮ નામોથી
ભગવાનનું સ્તવન કર્યું.
૧. હે પ્રભો! જગતના અદ્વિતીય–પ્રકાશક હોવાથી આપ એક છો.
૨. એકસાથે જ્ઞાન–દર્શનરૂપ બે ઉપયોગના ધારક હોવાથી આપ બે રૂપ છો.
૩. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ત્રિવિધ મોક્ષમાર્ગમય હોવાથી ત્રિરૂપ છો.
૪. આત્મામાં ઉત્પન્ન એવા અનંત ચતુષ્ટયસ્વરૂપ હોવાથી ચારરૂપ છો.
પ. પંચપરમેષ્ઠીસ્વરૂપ હોવાથી તથા પંચકલ્યાણકના નાયક હોવાથી પાંચરૂપ છો.
૬. જીવાદિ છ દ્રવ્યોના જ્ઞાતા હોવાથી આપ છ રૂપ છો.
૭. નૈગમાદિ સાત નયોના સંગ્રહરૂપ હોવાથી આપ સાતરૂપ છો.
૮. સમ્યક્ત્વાદિ આઠ અલૌકિક ગુણસ્વરૂપ હોવાથી આઠરૂપ છો.
૯. કેવળજ્ઞાનાદિ નવ ક્ષાયિકલબ્ધિસહિત હોવાથી આપ નવરૂપ છો.
૧૦. મહાબલ આદિ દશ અવતારવડે આપનો નિર્ધાર થતો હોવાથી દશરૂપ છો.
એવા હે ઋષભજિનેશ્વર! આ ભવદુઃખોથી મારી રક્ષા કરો.
એ પ્રમાણે સ્તુતિ કર્યા બાદ ઈન્દ્રે ભગવાનને તીર્થવિહાર માટે પ્રાર્થના કરી: હે પ્રભો!
ભવ્યજીવોને ધર્મરૂપી અમૃતનું સીંચન કરવા માટે આપ શરણરૂપ થાઓ. મોહની સેનાને
નષ્ટ કરીને કેવળજ્ઞાન પામ્યા પછી હવે મોક્ષમાર્ગનો ઉપદેશ દેવાનો સમય પાકી ગયો છે, ને
આપના શ્રી વિહાર માટે આ ધર્મચક્ર પણ તૈયાર છે. માટે હે જિનેશ્વર! મંગલવિહારવડે આ
ભરતભૂમિને પાવન કરો ને મોક્ષમાર્ગના ઉપદેશવડે ધર્મતીર્થનું પ્રવર્તન કરો.
ત્યારે, તીર્થંકર નામની પુણ્યપ્રકૃતિ જેને સારથિ છે એવા શ્રી ભગવાનનો વિહાર
થયો; ભગવાનને કંઈ ઈચ્છા ન હતી પણ ભવ્ય જીવોના મહાભાગ્યે એમનો સહજ
વિહાર થયો. છત્ર, ચામરાદિ દિવ્ય વિભૂતિ પણ સાથે જ હતી. ઈન્દ્રાદિ દેવોએ
ભગવાનના વિહારનો