Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 53

background image
: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
તરીકે શણીયાનો કોથળો ન હોય પણ સારી બરણી કે પેટી હોય. તેમ અપૂર્વ
સત્યસ્વભાવની સમજણ પ્રગટ કરવામાં નિમિત્તરૂપે સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર હોય,
અજ્ઞાની ન હોય.
–આ રીતે, ઉપાદાન છે ને નિમિત્ત પણ છે–એમ બંનેને જાણવા તે અનેકાંત છે;
પણ તે અનેકાંતિકમાર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય
બીજા કોઈ હેતુએ ઉપકારી નથી. એટલે કે ઉપાદાન અને નિમિત્ત બંનેને જાણીને એક
ઉપાદાન–સ્વભાવસન્મુખ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન છે અને નિમિત્ત છે–એમ
જાણીને જો તેના જ લક્ષે રોકાય, ને નિમિત્તનું લક્ષ છોડીને પોતાના ઉપાદાનની દ્રષ્ટિ
પ્રગટ ન કરે તો નિજપદની પ્રાપ્તિ થાય નહીં. પોતાના સ્વભાવ તરફની એકતા પ્રગટ
કર્યા વિના અનેકાંતનું પણ સાચું જ્ઞાન થાય નહીં.
(૧) ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ અને ક્ષણિક અવસ્થામાં અશુદ્ધતા–એ બંને પડખાંને
જાણીને, શુદ્ધસ્વભાવ તરફ વળવું તે અનેકાંત છે. શુદ્ધસ્વભાવ તરફ વળ્‌યા વિના
અશુદ્ધતાનું પણ યથાર્થ જ્ઞાન થાય નહીં.
(૨) પોતે પોતાની પાત્રતા પ્રગટ કરીને અંતરમાં વલણ કરે તો સત્ સમજાય.
અને તે વખતે સદ્ગુરુ નિમિત્ત હોય, પણ નિમિત્ત કાંઈ કરે નહીં. એ પ્રમાણે ઉપાદાન
નિમિત્તને જાણીને, નિમિત્તનું લક્ષ છોડીને ઉપાદાન તરફ વળવું તે પ્રયોજન છે. ઉપાદાન
તરફ વળ્‌યા વિના નિમિત્તનું યથાર્થ જ્ઞાન પ્રગટે નહીં.
[એ પ્રમાણે બે બોલ થયા. હવે ત્રીજો બોલ નિશ્ચય–વ્યવહારનો અને ચોથો
બોલ દ્રવ્ય–પર્યાયનો છે, તે ભાગ આગામી અંકમાં વાંચશોજી.)
– * –
અરે જીવ! આ ઈષ્ટની પ્રાપ્તિનો અવસર છે. સન્તો
તને તારા ઈષ્ટની પ્રાપ્તિની રીત બતાવે છે. પહેલાં ઈષ્ટનું
સ્વરૂપ નક્કી કર...ઈષ્ટ એવું આત્માનું શુદ્ધસ્વરૂપ શું છે તે
જ્ઞાનમાં લઈને સીધું તેને અનુભવમાં લે. ‘સીધું’ એટલે
વચમાં બીજી કોઈ પરભાવની આડ રાખ્યા વગર એકલા
જ્ઞાન વડે આત્માને અનુભવમાં લે. જે કાંઈ ઈષ્ટ–વહાલું ને
સુખરૂપ છે તે બધુંય આત્માના સ્વાનુભવમાં સમાય છે.
– * –