વખતે શાંતચિત્ત થયેલો તે જીવ ચૈતન્યના સાક્ષાત્ અમૃતને પીએ છે. –તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે.
શુદ્ધસ્વરૂપ અનુભવાય છે ને નિર્વિકલ્પ શાંતરસ ઉલ્લસે છે. આવો અનુભવ થયો ત્યારે
સમ્યગ્દર્શન થયું, ત્યારે પરમાર્થદર્શન થયું ને ત્યારે મોક્ષમાર્ગ ખૂલ્યો. તેથી આવો
અનુભવશીલ જીવ પરમ સુખી છે.
અનુભવમાં અતીન્દ્રિય આનંદ થાય છે. એ આનંદના સ્વાદમાં કોઈ રાગની–વિકલ્પની
અપેક્ષા નથી. એ આનંદનો અનુભવ પોતાના સ્વસંવેદન જ્ઞાનમાં પ્રત્યક્ષ છે, ઈન્દ્રિયોનું
તેમાં આલંબન નથી, મનના વિકલ્પોની તેમાં અપેક્ષા નથી. આવો અનુભવ તે મહાન
સુખ છે.
રહીને આત્મા અનુભવાતો નથી. અકર્તા–અભોક્તાના વિકલ્પોવડે અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થતું નથી. પણ વિકલ્પથી જુદો પડીને વસ્તુમાં જતાં અકર્તા–અભોક્તારૂપ
પરિણમન થઈ જાય છે. વિકલ્પથી જુદો ઉપયોગ અંતરમાં સાક્ષાત્ શુદ્ધાત્માને સંચેતે છે–
અનુભવમાં લ્યે છે. આવો અનુભવ તે ધર્મ છે; ને આવો એકક્ષણનો ધર્મ કેવળજ્ઞાનને
શીઘ્રપણે બોલાવે છે કે ઝટ આવ!
લ્યે તો વિકલ્પ તૂટીને આનંદ અનુભવાય. ભાઈ, શેમાં ઊભો રહીને તારે વસ્તુને
અનુભવમાં લેવી છે?–તો એમ અનુભવ નહિ થાય. વિકલ્પમાં વસ્તુ નહિ અનુભવાય;
વસ્તુ તો વસ્તુમાં સીધો ઉપયોગ જોડતાં અનુભવાશે. વિકલ્પમાં શુદ્ધ વસ્તુનું પરિણમન