
હે વાલીડા! આળસ કરીશ મા...પ્રમાદી થઈશ મા.
વાણીદ્વારા જગતના જીવોને માટે પણ તે પ્રસિદ્ધ કર્યો છે. સમયસારની આ ટીકાનું
નામ
ચક્રવર્તીના નવનિધાન અખૂટ છે, તે કદી ખૂટતા નથી, તેમ આત્મામાં અપાર
અક્ષય ચૈતન્યનિધાન છે, અનુભવદ્વારા તેને ખોલ્યા જ કરો પણ તે કદી ખૂટતા
નથી. જગતને આવો આત્મવૈભવ સર્વજ્ઞદેવે ખુલ્લો કરીને બતાવ્યો છે. અહો, આ
તો વીતરાગી સન્તોના અંતરના અનુભવની વાત છે. આના ભાવો સમજવા માટે
અંતરમાં ઘણું ઊંડું મંથન માંગે છે. અંદરમાં મંથન વગર આવો આત્મા અનુભવમાં
આવે નહીં. આત્માની સમજણ માટે ને અનુભવ માટે અંદરમાં ઘણો ઉગ્ર પ્રયત્ન
હોય છે; જગતથી કેટલી ઉદાસીનતા ને ચૈતન્યની કેટલી પ્રીતિ હોય! ત્યારે આત્મા
અનુભવમાં આવે.
જેવી પોતાની રુચિની ઉગ્રતા. કોઈને અંતર્મુહૂર્તમાં જ અનુભવ થાય છે.
છે. રુચિવાળી વસ્તુના પ્રયત્નમાં હદ ન હોય, કાળની મર્યાદા ન હોય. જો કે ખરા
મુમુક્ષુને રુચિની ઉગ્રતા તો એવી હોય કે આજે જ અત્યારે જ આત્મામાં ઊતરીને
તેને અનુભવમાં લઉં. પછી પ્રયત્ન ઉપડતાં ઉપડતાં જરાક વાર લાગે તો તે થાકીને
પ્રયત્ન છોડી દેતા નથી, પણ વધુ ને વધુ ઉગ્ર પ્રયત્ન વડે ઉદ્યમ કરીને અંતે સાક્ષાત્
આત્માનો અનુભવ કરે છે.