Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 45

background image
: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૧૩ :
અજ્ઞાનથી આ અનંત સંસારના દુઃખમાં ટળવળી રહ્યો છો, તો અમે તને તેનાથી છૂટવાનો
ઉપાય બતાવીએ છીએ–તે લક્ષમાં લે. મારી અવસ્થામાં અશુદ્ધતા મેં મારી જ ભૂલથી કરેલી છે;
તે ભૂલ ક્ષણિક છે, ને મારો શુદ્ધસ્વભાવ ત્રિકાળ છે, એમ શુદ્ધસ્વભાવને લક્ષમાં લેતાં પર્યાયની
જો પોતાની ભૂલ હોય જ નહિ તો તે ટાળવાનું ક્યાં રહ્યું? તારી ભૂલ છે તેથી તો ભૂલ
ટાળવા માટે તને ઉપદેશ દીધો છે. તારા દોષે તને બંધન છે એ સંતની પહેલી શિખામણ છે.
દોષ એટલો કે પરને પોતાનું માનવું ને પોતે પોતાને ભૂલી જવું.
ભૂલ પોતાની હોય જનહિ તો ટાળવાનું રહેતું નથી.
ભૂલ પોતાનું સ્વરૂપ જ હોય તો ટાળવાનું રહેતું નથી.
પર્યાયમાં ભૂલ પોતાની છે પણ તે કાયમી સ્વરૂપ નથી.
તેથી કાયમી શુદ્ધસ્વરૂપના લક્ષે પર્યાયની ભૂલ ટળી જાય છે.
અજ્ઞાની પોતાના શુદ્ધસ્વભાવનો તો અજાણ છે, ને પર્યાયમાં જે પોતાના અપરાધથી
અશુદ્ધતા છે તેનો પણ અજાણ છે. નથી જાણતો દ્રવ્યને, નથી જાણતો પર્યાયને; કર્મ વગેરેનો
સંયોગ જ મને અશુદ્ધતા કરાવે, ને દેવ–ગુરુ વગેરેનો સંયોગ જ મને શુદ્ધતા કરાવે–એમ માને
છે, એટલે પોતે તો જાણે ધોયેલ મૂળા જેવો રહ્યો, કાંઈ શુદ્ધતાનો ઉદ્યમ કરવાનું રહ્યું નહીં! –
પરદ્રવ્ય તો તારાથી જુદું એના ભાવમાં પરિણમી રહ્યું છે, તે આ જીવને જરાપણ
વિકાર નથી કરાવતું. છતાં અજ્ઞાની તેના ઉપર જૂઠો આરોપ નાંખે છે કે મારામાં અશુદ્ધતા તેં
કરાવી.
–‘પણ ભાઈ! હું (પરદ્રવ્ય) તો તારામાં આવ્યું જ નથી તો મેં તારામાં કઈ રીતે અશુદ્ધતા
કરાવી?’ શાસ્ત્રભણતરમાંથી જે સ્વાશ્રયનો આશય કાઢવો જોઈએ તે અજ્ઞાનીને આવડતું
નથી, તે પોતાની ઊંધી દ્રષ્ટિને લીધે શાસ્ત્રના આશય પણ ઊંધા જ સમજે છે, ને
પરાશ્રયભાવને પોષે છે. પરથી જે નુકશાન માને તે પરથી લાભ પણ માને; ને જે પરથી લાભ
માને તે સ્વસન્મુખ આવે નહિ એટલે તેને સમ્યગ્દર્શનાદિનો લાભ કદી થાય નહિ. પોતાની
એક સમયની પર્યાયમાં શુદ્ધતા કે અશુદ્ધતા કરવાની સ્વતંત્ર તાકાત છે તેને પણ જે નથી
ભાઈ, ‘મારા દોષ મેં કર્યા છે’ એમ સમજ તો તને તારા દોષ ટાળવાની ખટક રહેશે.
‘‘ હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ–’’ એમ સમજીને મુમુક્ષુ જીવ