Atmadharma magazine - Ank 298
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
સાં....ભ...ળો....!
જો તમે પોતાનું હિત ચાહતા હો તો હે ભવ્ય જીવો! શ્રીગુરુના આ હિતોપદેશને મન સ્થિર
કરીને તમે સાંભળો. ‘હે ભવ્ય જીવો ! હે મોક્ષના લાયક પ્રાણીઓ!’ –આમ ઉત્તમ સંબોધન
કરીને ભલામણ કરે છે કે વીતરાગવિજ્ઞાનનો આ ઉપદેશ તમે ધ્યાનપૂર્વક સાંભળો; દુઃખથી છૂટવા
ને મોક્ષસુખ પામવા માટેનો આ ઉપદેશ ઉપયોગ લગાવીને તમે સાંભળો. તેનાથી જરૂર તમારું
હિત થશે. બીજેથી ઉપયોગ હઠાવીને આ તમારા હિતની વાત પ્રેમથી–ઉત્સાહથી સાંભળો.
શ્રી
ગુણધર આચાર્યદેવે कषायप्राभृत ૧૦મી ગાથામાં सुण એવો શબ્દ મુક્યો છે, તેનો
અર્થ કરતાં जयधवला ટીકામાં શ્રી વીરસેનસ્વામી લખે છે કે ‘શિષ્યને સાવધાન કરવા માટે
ગાથાસૂત્રમાં જે ‘सुण એટલે કે સાંભળ’ –એવું પદ છે તે એમ બતાવવા માટે છે કે અણસમજું
શિષ્યને વ્યાખ્યાન કરવું નિરર્થક છે. (પૃ. ૧૭૧) જેને સમજવાની દરકાર નથી એવા જીવને માટે
ઉપદેશ નથી દેતા, પણ જે સમજવાની ધગશવાળા છે એવા શિષ્યોને કહે છે કે તમે સાંભળો. જેમ
પાણી જોઈએ તો તે માટે ઘરના ગાય વગેરે પશુને તે નથી કહેતા કે પાણી આપ; કેમકે તેનામાં
તેવી શક્તિ નથી. પણ સમજદાર આઠ વર્ષના બાળકને પાણી લાવવાનું કહેતાં તે સમજી જાય છે;
તેમ આત્માનું સ્વરૂપ સમજવાની જેનામાં તાકાત છે, જેનામાં તેવી જિજ્ઞાસા જાગી છે એવા
જીવોને સન્તો તેની વાત સંભળાવે છે ને કહે છે કે સુણ! એટલે કે અમે જે ભાવ કહીએ છીએ તે
તું લક્ષમાં લે. ભાવ સમજે તો જ ખરું સાંભળ્‌યું કહેવાય.
અહીં છઢાળાની બીજી ગાથામાં પણ કહે છે કે તમારા હિતની વાત સાંભળો ‘‘सुनो भवि
मन थिर आन’’ હે ભાઈ! દુઃખથી છૂટવાની ને સુખને પામવાની એવી તારા હિતની વાત તને
કહીએ છીએ, તો તારા હિત માટે સાવધાન થઈને તું સાંભળ. આડી અવળી બીજીવાત ને બીજા
વિકલ્પો છોડીને, આ વીતરાગવિજ્ઞાનની વાત લક્ષપૂર્વક સાંભળો. બીજા રસ છોડીને આ
ચૈતન્યના વીતરાગવિજ્ઞાનમાં તત્પર થાઓ.
જુઓ તો ખરા, સાંભળનાર શ્રોતાને પણ કેવી ભલામણ કરી છે! અરે જીવો ! તમે
તમારું કલ્યાણ ચાહતા હો, હિત ચાહતા હો, સુખ અને મોક્ષ ચાહતા હો તો તેેને માટે આ
વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ અમારી પાસે છે તે ધ્યાનપૂર્વક સાંભળો. બાકી સંસારમાં પૈસા વગેરે
કેમ મળે કે રોગાદિ કેમ મટે–એનો ઉપદેશ અમારી પાસે નથી; અમારી પાસે તો સુખનો પોષક
એવો વીતરાગવિજ્ઞાનનો જ ઉપદેશ છે. તેની જેને ગરજ હોય તે સાંભળો.
માત્ર ‘સાંભળો’ એમ નહિ પણ સ્થિર ચિત્ત થઈને સાંભળો, ને હિતના અભિલાષી થઈને
સાંભળો કે અહો, આ મારા હિતની કોઈ અપૂર્વ વાત છે.
(–છઢાળા–પ્રવચનોમાંથી)